તેલંગણા માર્ચઃ પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, હૈદરાબાદ ફરી સળગ્યું

સુરક્ષા પહેરો તોડવાનો પ્રયત્ન કરી રહેલા ટોળાને વિખેરી નાંખવા માટે પોલીસ દ્વારા ગેસના ગોળા છોડવામાં આવ્યા અને લાઠીચાર્જ કરવામાં આવતા આ રેલી હિંસક બની ગઇ હતી.
આ રહેલી દરમિયાન કેશવ રાવ સહિત છ કોંગ્રસી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રી કિરણકુમાર રેડ્ડીના નિવાસ્થાન અને કાર્યાલય બહાર ધરણા પર બેસવાના હતા.
નોંધનીય છે કે, હિંસાની આશંકાના પગલે રેલવે દ્વારા રવિવારે પહેલેથી જ 40 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને હૈદરાબાદની લોકલ તથા સબ અર્બન ટ્રેન સર્વિસને પણ રદ કરવામાં આવી હતી. સાઉથ સેન્ટ્રલ રેલવે દ્વારા 12 એક્સપ્રેસ અને 25 પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લામાંથી હૈદરાબાદ આવતા લોકોને રોકવા માટે આ નિર્દેશ આપ્યા હતા. રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા શહેરના તમામ સીનેગૃહો, શોપિંગ મોલ્સને બંધ રાખવા માટે આદેશ આપ્યા હતા.












Click it and Unblock the Notifications
