તેલંગાણાના મિર્ઝાગુડા ગામમાં ખૌફનાક અકસ્માત, 24 લોકોના મોત
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મિર્ઝાગુડા ગામ (ચેવેલા મંડળ) પાસે એક રેતી ભરેલો ટ્રક રાજ્ય પરિવહન નિગમ (RTC)ની બસ સાથે ધડાકાભેર અથડાયો. ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રકનો આખો ભાર બસ પર પડ્યો, જેના કારણે ઘણા મુસાફરો બસમાં જ ફસાઈ ગયા.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 18 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બસ અને ટ્રક બંનેના ચાલકો, ઘણી મહિલાઓ, એક 10 મહિનાનું બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે. માહિતી અનુસાર, તંદુર ડેપોની આ બસ લગભગ 70 મુસાફરોને લઈને હૈદરાબાદ જઈ રહી હતી.

સામેથી આવી રહેલો એક તેજ ગતિનો ટ્રક અચાનક અનિયંત્રિત થઈને બસ સાથે સીધો બસ અથડાયો અને પલટી ગયો. ટક્કર બાદ ટ્રકનો સમગ્ર રેતીનો ભાર બસ પર પડ્યો, જેના કારણે બસ સંપૂર્ણપણે કચડાઈ ગઈ. આસપાસના લોકોએ જણાવ્યું કે થોડી જ સેકન્ડમાં ત્યાં દર્દ અને ચીસોનું મૌન છવાઈ ગયું. ઘણા મુસાફરો બસની અંદર ફસાયેલા હતા અને મદદ માટે પોકારી રહ્યા હતા. ગ્રામજનોએ સમય ગુમાવ્યા વિના ત્રણ જેસીબી મશીનોની મદદથી રાહત કાર્ય શરૂ કરાવ્યું.
પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું. અત્યાર સુધીમાં 15 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં બસના કંડક્ટર રાધાનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને ચેવેલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વધુ સારી સારવાર માટે હૈદરાબાદ રિફર કરવામાં આવ્યા છે.
ચેવેલા સર્કલ ઇન્સ્પેક્ટર ભૂપાલ શ્રીધર પણ રાહત કાર્ય દરમિયાન ઘાયલ થયા. એક જેસીબીની ટક્કરથી તેમના પગમાં ઇજા થઈ, જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ દુર્ઘટના પર ગહન દુઃખ વ્યક્ત કર્યું અને તેને એક બહુ મોટી માનવીય દુર્ઘટના ગણાવી. તેમણે મુખ્ય સચિવ કે. રામકૃષ્ણ રાવ અને ડીજીપી બી. શિવાધર રેડ્ડીને તાત્કાલિક ઘટનાસ્થળે રાહત કાર્યને ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે.
સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે, કોઈપણ ઘાયલને સારવારમાં વિલંબ થવો ન જોઈએ. તમામ ગંભીર દર્દીઓને તાત્કાલિક હૈદરાબાદ લાવવામાં આવે. તેમણે મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે તેઓ પોતે ઘટનાસ્થળ પર જઈને રાહત કાર્યનું નિરીક્ષણ કરે. સરકારે જિલ્લાના તમામ વિભાગોને રાહત અભિયાનમાં જોડ્યા છે. પર્યાપ્ત એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમો અને પેરામેડિકલ સ્ટાફ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે જેથી વધુને વધુ લોકોનો જીવ બચાવી શકાય.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત ઓવરસ્પીડિંગ અને ટ્રક ચાલકના નિયંત્રણ ગુમાવવાને કારણે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. પોલીસે જણાવ્યું કે હૈદરાબાદ-બીજાપુર હાઈવે પર અકસ્માત બાદ લાંબો જામ લાગી ગયો હતો
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
