For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીમા પર તણાવ, લશ્કરના વડા પૂંચની મુલાકાત લઇ વધારશે ઉત્સાહ

|
Google Oneindia Gujarati News

general-vikram-singh
નવી દિલ્હી, 7 ઓગસ્ટ : જમ્મુ કાશ્મીર સ્થિત નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા પાંચ ભારતીય સૈન્યના જવાનોને કારણે સીમા પર તણાવની સ્થિતિ ઉભી થઇ છે. આ પરિસ્થિતિની સમીક્ષા કરવા અને જવાનોનો ઉત્સાહ વધારવા માટે ભારતીય લશ્કરના વડા જનરલ વિક્રમ સિંહ આજે પૂંચ પહોંચવાના છે.

સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સૈન્ય અભિયાનોના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયા પાકિસ્તાનમાં પોતાના સમકક્ષ મેજર જનરલ અશ્ફાક નદીમ સાથે આ મુદ્દે વાતચીત કરશે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાની બીજી તરફ કરવામાં આવેલા હુમલામાં પાંચ ભારતીય સૈનિકોને મારવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આ ઘટના બાદ વડાપ્રધાન મનમોહન સિંહે સંરક્ષણ પ્રધાન એ કે એન્ટની સાથે વાત કરી હતી. સેનાના પ્રમુખે સવારે સંરક્ષણ પ્રધાનને ઘટના અંગે માહિતી આપી હતી. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સેના પ્રમુખ રાજોરીમાં ડિવિઝડ હેડ ક્વાર્ટરની મુલાકાત લેશે.

અહીં તેઓ તેમના કમાન્ડિંગ ઓફિસર અન તેમના યુનિટના જવાનોને મળશે એમ માનવામાં આવે છે. આ ટીમના જવાનો પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં શહીદ થયા છે. જે પાંચ જવાનો શહીદ થયા તેમાંથી ચાર જવાનો 21મી બિહાર રેજિમેન્ટ સાથે જ્યારે એક મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રી બટાલિયનનો હતો.

English summary
Tension on border; Army Chief will visit Poonch today for cheer up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X