ટેરર ફંડિંગ કેસ: શ્રીનગર અને દિલ્હીમાં 16 ઠેકાણે NIAના દરોડા
ટેરર ફંડિંગ કેસ: એનઆઇએ દ્વારા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 11 અને દિલ્હીમાં 5 એમ કુલ 16 ઠેકાણે રેડ પાડવામાં આવી હતી.
ટેરર ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતાં એનઆઇએ દ્વારા બુધવારે 16 સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઇએ દ્વારા જમ્મુ-કાશ્મીર અને શ્રીનગરમાં 11 તથા દિલ્હીમાં 5 ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ મામલે બીજા તબક્કાની તપાસ બાદ દસ્તાવેજો શોધવા માટે એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ પહેલાં શુક્રવારે જ એનઆઇએ દ્વારા કાશ્મીરના એક ફોટો જર્નાલિસ્ટની સેના પર પથ્થરમારો કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

એનઆઇએ દ્વારા શુક્રવારે પત્રકાર કામરામ યૂસુફ અને જાવેદ ભટ્ટની કુલગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પથ્થરમારાની ઘટનામાં આ બંનેની સંડોવણી હોવાનો એનઆઇએનો આરોપ છે. એનઆઇએના અધિકારીઓ દ્વારા પથ્થરમારામાં ભાગ લેવા ઉપરાંત યૂસુફ એ ઘટનાની તસવીરો લઇ સ્થાનિક અને રાષ્ટ્રીય સમાચાર પત્રોને આપતો હતો અને સોશિયલ મીડિયા અને ચેટ ગ્રૂપમાં પણ આ તસવીરો શેર કરતો હતો. કાશ્મીર ઘાટીમાં પથ્થરમારા અને વિરોધ પ્રદર્શન કરનાર 117 સંદિગ્ધ લોકોની ઓળખ કરવામાં આવી હતી, જેઓ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપવા માટે 70 વોટ્સએપ ગ્રૂપનો ઉપયોગ કરતા હતા. તપાસ એજન્સિની આ રિપોર્ટને આધારે જ આ બંને લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
