Video : જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી હુમલો, ત્રણ પરપ્રાંતિય મજુરોને ગોળી મારી

કાશ્મીરમાં આતંકવાદની કમર તુટી ગઈ હોવાના મોટા મોટા દાવા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના ગાલ પર ફરી એક વખત આતંકીઓએ તમાચો માર્યો છે. અહેવાલો અનુસાર, જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ ત્રણ પરપ્રાંતિય મજુરોને ગોળી મારી દીધી છે.

કાશ્મીરમાં ફરી એક વખત આતંકીએ માથુ ઉચક્યુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ પરપ્રાંતિય મજૂરોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટના બાદ મજુરોને હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમના જીવ ન બચાવી શકાયા.

kasmir

હુમલાને લઈને પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાન વિસ્તારમાં ઘેરાબંધી કરી છે અને આતંકીઓની શોધખોળ કરી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર કર્યો છે.

સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્તવાલે જણાવ્યું કે, સૈનિકોએ સોમવારે રાત્રે નૌશેરા સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના જૂથની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી અને જ્યારે તે સુરક્ષા વાડની નજીક આવ્યા ત્યારે તેમને પડકારવામાં આવ્યા અને તેમના પર ફાયરીંગ કરાયું.

જણાવી દઈએ કે, મોદી સરકારના ખોખલા દાવા વચ્ચે કાશ્મીરમાં આતંકીઓ સતત હુમલાઓ કરી રહ્યા છે અને પરપ્રાંતિય લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા પણ કાશ્મીરમાં ઘણી હિંસા થઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X