Video : જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી હુમલો, ત્રણ પરપ્રાંતિય મજુરોને ગોળી મારી
કાશ્મીરમાં આતંકવાદની કમર તુટી ગઈ હોવાના મોટા મોટા દાવા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના ગાલ પર ફરી એક વખત આતંકીઓએ તમાચો માર્યો છે. અહેવાલો અનુસાર, જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ ત્રણ પરપ્રાંતિય મજુરોને ગોળી મારી દીધી છે.
કાશ્મીરમાં ફરી એક વખત આતંકીએ માથુ ઉચક્યુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ પરપ્રાંતિય મજૂરોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટના બાદ મજુરોને હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમના જીવ ન બચાવી શકાયા.

હુમલાને લઈને પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાન વિસ્તારમાં ઘેરાબંધી કરી છે અને આતંકીઓની શોધખોળ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર કર્યો છે.
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્તવાલે જણાવ્યું કે, સૈનિકોએ સોમવારે રાત્રે નૌશેરા સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના જૂથની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી અને જ્યારે તે સુરક્ષા વાડની નજીક આવ્યા ત્યારે તેમને પડકારવામાં આવ્યા અને તેમના પર ફાયરીંગ કરાયું.
#WATCH | Jammu and Kashmir | Police and Army cordoned off the area in Gagran, Shopian after gunshots were heard in the area; some people got injured.
— ANI (@ANI) July 13, 2023
More details awaited. pic.twitter.com/eFzCxpoIqU
જણાવી દઈએ કે, મોદી સરકારના ખોખલા દાવા વચ્ચે કાશ્મીરમાં આતંકીઓ સતત હુમલાઓ કરી રહ્યા છે અને પરપ્રાંતિય લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા પણ કાશ્મીરમાં ઘણી હિંસા થઈ છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
