જમ્મુ-કશ્મીર: પુલવામામાં CRPFના ટ્રેનિંગ કેમ્પ પર આતંકવાદી હુમલો
આતંકવાદીઓએ ફરી જમ્મુ-કશ્મીરના પુલવામાને નિશાન બનાવ્યું છે. રવિવારની સવારે લગભગ 2 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ સીઆરપીઓફના ટ્રેનિગ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં બે જવાન શહીદ થયા હતા.
આતંકવાદીઓએ ફરી જમ્મુ-કશ્મીરના પુલવામાને નિશાન બનાવ્યું છે. રવિવારની સવારે લગભગ 2 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ સીઆરપીઓફના ટ્રેનિગ કેમ્પ પર હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓએ ટ્રેનિંગ સેન્ટર પર જોરદાર ફાયરિંગ કર્યુ હતું. જેમાં સીઆરપીએફના 4 જવાન શહીદ અને 3 જવાન ઘાયલ થયા હતા. આ બાદ થયેલા ઓપરેશનમાં 3 આંતવાદીઓના મોત થયા હતા. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મૌહમ્મદે લીધી છે.

ઉલ્લેખનીય છે કે, આ અંગે મહિતી આપતા સીઆરપીઓફના ડી.જી. આર.આર.ભટનાગરએ જણાવ્યું હતું કે, બે કે ત્રણ આંતકવાદીઓ હોઇ શકે છે. આ આતંકવાદીઓ હમણા એક ઇમારતમાં છે તથા થોડી થોડી વારે તેઓ ફાયરિંગ કરી રહ્યા છે. આ આંતકવાદીઓ વહીવટી બ્લોકના ચોથા માળ પર છે અને ત્યાંથી ફાયરિંગ કરી રહ્યા છે. આંતકવાદીઓએ સૌ પ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા એ બાદ ફાયરિંગ કરવાનું શરૂ કરી નાખ્યું. જેમાં બે જવાન ઘાયલ થયા હતા. આ ફાયરિંગના કારણે તેઓ 2 વાગ્યાની આસપાસ લેથપોરા કેમ્પમાં ઘુસી ગયા હતા. આ હુમલો શ્રીનગરથી માત્ર 32 કિલોમીટરના અંતર પર કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ અનેક વખત અહીં આતંકવાદી હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. જેમાં અનેક જવાન ઘાયલ અને શહીદ પણ થયા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
