મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ઘણા રાજ્યોમાં બદલાયા ગવર્નર, થાવરચંદ ગહેલોત બન્યા કર્ણાટકના રાજ્યપાલ
મોદી કેબિનેટમાં વિસ્તારના સમાચારો વચ્ચે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે.
નવી દિલ્લીઃ મોદી કેબિનેટમાં વિસ્તારના સમાચારો વચ્ચે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. આમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓના નામ પણ શામેલ છે. સરકારના આ નિર્ણય બાદ એ નક્કી માનવામાં આવી રહ્યુ છે કે મોદી મંત્રીમંડળમાં આવતા 1-2 દિવસોમાં વિસ્તાર કરવામાં આવી શકે છે. માહિતી મુજબ મધ્ય પ્રદેશના કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતને કર્ણાટકના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેઓ અત્યાર સુધી મોદી સરકારમાં સામાજિક ન્યાય તેમજ અધિકાર મંત્રાલયની જવાબદારી નિભાવી રહ્યા હતા. થાવરચંદ ગહેલોત કર્ણાટકમાં વજૂભાઈ વાળાની જગ્યાએ પદભાર સંભાળશે.

8 રાજ્યોના બદલાયા રાજ્યપાલ
તમને જણાવી દઈએ કે કર્ણાટક ઉપરાંત મધ્ય પ્રદેશ, હરિયાણા, ત્રિપુરા, ઝારખંડ અને ગોવા સહિત 8 રાજ્યોના રાજ્યપાલ બદલાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે મોદી મંત્રીમંડળમાં વિસ્તારના સમાચારો વચ્ચે રાજ્યપાલોને બદલવા એ સાબિત કરે છે કે આવતા 1-2 દિવસની અંદર મંત્રીમંડળનુ વિસ્તરણ થવાની સંભાવના છે. કર્ણાટક ઉપરાંત હરિયાણાના રાજ્યપાલને પણ બદલવામાં આવ્યા છે. અત્યાર સુધી હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યા હતા. હવે તેમની જગ્યાએ બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. બંડારુ દત્તાત્રેય અત્યાર સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. આ ઉપરાંત રમેશ બેંસને ઝારખંડ, મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્ય પ્રદેશ અને સત્યદેવ નારાયણને ત્રિપુરાના ગવર્નર બનાવવામાં આવ્યા છે.
રાજ્યપાલની નિયુક્તિમાં થાવરચંદ ગહેલોતનુ મોટુ નામ
રાજ્યપાલની નિયુક્તિઓમાં સૌથી મોટો ચહેરો થાવરચંદ ગહેલોતનો છે જે કેબિનેટ મંત્રી હતા. કોઈને એ વાતનો અંદાજો નહોતો કે તેમને મંત્રીમંડળથી બહાર કરીને તેમને કર્ણાટક મોકલવામાં આવી શકે છે. તેમને મંત્રીમંડળમાંથી બહાર મોકલ્યા બાદ એ નક્કી થઈ ગયુ છે કે મધ્ય પ્રદેશથી જ્યોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટમાં શામેલ કરવામાં આવશે. મધ્ય પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને બિહારથી નવા ચહેરાઓને મંત્રીમંડળમાં શામેલ કરવાની કવાયત મોદી સરકારમાં ચાલી રહી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
