મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ઘણા રાજ્યોમાં બદલાયા ગવર્નર, થાવરચંદ ગહેલોત બન્યા કર્ણાટકના રાજ્યપાલ
મોદી કેબિનેટમાં વિસ્તારના સમાચારો વચ્ચે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે.
નવી દિલ્લીઃ મોદી કેબિનેટમાં વિસ્તારના સમાચારો વચ્ચે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. આમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓના નામ પણ શામેલ છે. સરકારના આ નિર્ણય બાદ એ નક્કી માનવામાં આવી રહ્યુ છે કે મોદી મંત્રીમંડળમાં આવતા 1-2 દિવસોમાં વિસ્તાર કરવામાં આવી શકે છે. માહિતી મુજબ મધ્ય પ્રદેશના કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતને કર્ણાટકના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેઓ અત્યાર સુધી મોદી સરકારમાં સામાજિક ન્યાય તેમજ અધિકાર મંત્રાલયની જવાબદારી નિભાવી રહ્યા હતા. થાવરચંદ ગહેલોત કર્ણાટકમાં વજૂભાઈ વાળાની જગ્યાએ પદભાર સંભાળશે.

8 રાજ્યોના બદલાયા રાજ્યપાલ
તમને જણાવી દઈએ કે કર્ણાટક ઉપરાંત મધ્ય પ્રદેશ, હરિયાણા, ત્રિપુરા, ઝારખંડ અને ગોવા સહિત 8 રાજ્યોના રાજ્યપાલ બદલાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે મોદી મંત્રીમંડળમાં વિસ્તારના સમાચારો વચ્ચે રાજ્યપાલોને બદલવા એ સાબિત કરે છે કે આવતા 1-2 દિવસની અંદર મંત્રીમંડળનુ વિસ્તરણ થવાની સંભાવના છે. કર્ણાટક ઉપરાંત હરિયાણાના રાજ્યપાલને પણ બદલવામાં આવ્યા છે. અત્યાર સુધી હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યા હતા. હવે તેમની જગ્યાએ બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. બંડારુ દત્તાત્રેય અત્યાર સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. આ ઉપરાંત રમેશ બેંસને ઝારખંડ, મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્ય પ્રદેશ અને સત્યદેવ નારાયણને ત્રિપુરાના ગવર્નર બનાવવામાં આવ્યા છે.
રાજ્યપાલની નિયુક્તિમાં થાવરચંદ ગહેલોતનુ મોટુ નામ
રાજ્યપાલની નિયુક્તિઓમાં સૌથી મોટો ચહેરો થાવરચંદ ગહેલોતનો છે જે કેબિનેટ મંત્રી હતા. કોઈને એ વાતનો અંદાજો નહોતો કે તેમને મંત્રીમંડળથી બહાર કરીને તેમને કર્ણાટક મોકલવામાં આવી શકે છે. તેમને મંત્રીમંડળમાંથી બહાર મોકલ્યા બાદ એ નક્કી થઈ ગયુ છે કે મધ્ય પ્રદેશથી જ્યોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટમાં શામેલ કરવામાં આવશે. મધ્ય પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને બિહારથી નવા ચહેરાઓને મંત્રીમંડળમાં શામેલ કરવાની કવાયત મોદી સરકારમાં ચાલી રહી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
