બહુવિવાહ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં અસમ સરકાર, કમિટી બનાવવાની જાહેરાત કરી
અસમ સરકાર બહુવિવાહને લઈને મોટી એક્શનની તૈયારી કરી રહી છે. આસામની હિમંતા બિસ્વા સરમાએ આ મુદ્દે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. કમિટીના રિપોર્ટ બાદ સરકાર એક્શન લઈ શકે છે.
આ મુદ્દે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યુ કે, અમે યુનિફોર્મ સિવિલ કોડ માટે નથી જઈ રહ્યા પરંતુ રાજ્યના કાયદા હેઠળ બહુ વિવાદ પર પ્રતિબંધ મૂકવા ઈચ્છીએ છીએ. આસામ સરકારે રાજ્ય સરકારને આ વિસ્તારમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે કે કેમ તે તપાસવા એક નિષ્ણાત કમિટી બનાવાવની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ આગળ જણાવ્યુ કે, આ કમિટી કાયદા નિષ્ણાતો અને તમામ હિતધાકતો સાથે વ્યાપક ચર્ચા કરશે અને મુસ્લિમ પર્સનલ લો (શરિયત) અધિનિયમ 1937 ના પ્રાવધાનોની તપાસ કરશે.
તેમણે કહ્યું કે, આ કમિટી મુસ્લિમ પર્સનલ લો (શરિયત) અધિનિયમ 1937ની જોગવાઈઓ અને ભારતના બંધારણના અનુચ્છેદ 25ની સાથે યુનિફોર્મ સિવિલ કોડ માટે રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોની તપાસ કરશે. નિર્ણય પર પહોંચવા કમિટી કાનૂની નિષ્ણાતો સહિત તમામ હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કરશે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકોને સંબોધતા કહ્યું કે, આપણે એક સમાન નાગરિક સંહિતા પણ બનાવવી પડશે. મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓના ચારથી વધુ લગ્નો કરાવવામાં આવે છે, શું આ સિસ્ટમ છે? દુનિયામાં આવા નિયમ ન હોવા જોઈએ.
તેમણે કહ્યું કે, આપણે યુનિફોર્મ સિવિલ કોડ લાવવો પડશે અને આ બહુવિવાહ પ્રથાનો અંત લાવવો પડશે. મુસ્લિમ દીકરીઓને ડોક્ટર અને એન્જિનિયર બનાવવી જોઈએ, બાળક પેદા કરનાર મશીન નહીં.
અહીં મુખ્યમંત્રીએ કહ્યું કે, જો સત્તામાં આવશે તો બીજેપીએ યુનિફોર્મ સિવિલ કોડ પર કામ કરવાનું વચન આપ્યું છે. હું આ માટે બીજેપીનો આભાર માનું છું. અહીં તમને જણાવી દઈએ કે, બીજેપીએ તેના ચૂંટણી ઢંઢેરામાં કર્ણાટકમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું છે.












Click it and Unblock the Notifications
