નામીબિયાથી કૂનો નેશનલ પાર્કમાં લવાયેલા 8 ચિત્તાના ભોજન પર કેમ નારાજ થયો બિશ્નોઈ સમાજ?
નામીબિયાથી લવાયેલા 8 ચિત્તાઓને આપવામાં આવતા ભોજનને લઈને બિશ્નોઈ સમાજ નારાજ થયો છે.
બીકાનેરઃ હાલમાં દેશમાં એ આઠ ચિત્તા છવાયેલા છે જેને નામીબિયાથી લાવવામાં આવ્યા છે અને મધ્યપ્રદેશના કુનો વન્યજીવ અભયારણ્ય(કુનો નેશનલ પાર્ક)માં છોડી દેવામાં આવ્યા છે. આ ચિત્તાઓને આપવામાં આવતા ભોજનને લઈને બિશ્નોઈ સમાજ નારાજ થયો છે. સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલીને આ ચિત્તાઓના ખોરાક અંગેના નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ કરી છે.

નરસિંહગઢ ચિડીખો અભયારણ્યમાંથી 181 ચિતલ મોકલવામાં આવ્યા
હકીકતમાં રાજગઢ ફોરેસ્ટ ડિવિઝનમાં સ્થિત નરસિંહગઢ ચિડીખો અભયારણ્યમાંથી 181 ચિત્તલોને કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓની ભૂખ સંતોષવા માટે મોકલવામાં આવ્યા છે. અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભા મુક્તિધામ મુકામ નોખા બિકાનેર રાજસ્થાને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. મહાસભાના પ્રમુખ દેવેન્દ્ર બૂડિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલીને લખ્યુ છે કે ભારતના જંગલોમાં લુપ્ત થઈ ગયેલી પ્રજાતિના ચિત્તાને પુનઃસ્થાપિત કરવા માટે નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને છોડવામાં આવ્યા છે. તેમને ભોજનમાં ચિતલ, હરણ વગેરે પીરસવામાં આવશે. બિશ્નાઈ સમુદાય આનાથી ખૂબ જ દુઃખી છે.

વનોની રક્ષા માટે 363 લોકોએ આપ્યુ છે બલિદાન
પત્રમાં એવુ પણ લખવામાં આવ્યુ છે કે બિશ્નોઈ સમાજ તેમના પ્રિય ગુરુ જંભેશ્વર ભગવાન દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોનુ પાલન કરીને છેલ્લી પાંચ સદીઓથી પર્યાવરણ, પ્રકૃતિ અને વન્યજીવોનુ રક્ષણ કરી રહ્યો છે. વિશ્વમાં આ એકમાત્ર એવો સમાજ છે જે વૃક્ષો અને વન્યજીવો માટે બલિદાન આપી રહ્યો છે. તેમની રક્ષા માટે સમાજના 363 લોકોએ બલિદાન આપ્યુ છે.

પીએમ મોદી પાસે કરી માંગ
બિશ્નોઈ સમાજે વડાપ્રધાન પાસે માંગ કરી છે કે રાજસ્થાનમાં લુપ્ત થઈ રહેલી આ પ્રજાતિને બચાવવી જોઈએ. સમાજની લાગણી અને ગુરુ જમ્ભેશ્વર ભગવાનના જીવ દયાના સિદ્ધાંતને માન આપીને ચિત્તા માટે ચિત્તલ પીરસવાના નિર્ણય પર પુનર્વિચાર કરો અને ગેરકાયદેસર અને સંવેદનહીન હુકમને રદ કરો.

શું કહે છે વન અધિકારી?
નરસિંહગઢ ફોરેસ્ટ રેન્જના અધિકારી ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર રાજગઢ ફૉરેસ્ટ ડિવિઝનમાં સ્થિત નરસિંહગઢ ચિડીખો અભયારણ્યમાંથી 181 ચિતલને કુનો નેશનલ પાર્કમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ 2021માં ગાંધી સાગર અભયારણ્યમાં 245 ચિતલ મોકલવામાં આવ્યા હતા. 9 ચિતલ દેવાસમાં સિવનીમાં મોકલવામાં આવ્યા છે.

જંગલમાં પીએમ મોદીએ છોડ્યા ચિત્તા
17 સપ્ટેમ્બર 2022ના રોજ તેમના 72માં જન્મદિવસના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને વન્યજીવન નિષ્ણાતોની હાજરીમાં આ ચિત્તાઓને 10 કિલોમીટરના ઘેરામાં છોડ્યા હતા. કૂનો નેશનલ પાર્કના સ્પેશિયલ એન્ક્લોઝરમાં છોડાયા બાદ ચિત્તા 30 દિવસ સુધી આ ખાસ એન્ક્લોઝરમાં રહેશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. જે બાદ તેમને જંગલમાં છોડી દેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
