ધ ઇકોનોમિસ્ટે મોદી માટે વોટ નહીં કરવાની આપી સલાહ
બેંગલોર, 6 એપ્રિલ: લંડનના જાણીતા ન્યૂઝપેપર 'ધ ઇકોનોમિસ્ટ'એ આવતીકાલથી ભારતમાં શરૂ થનારા વોટિંગને દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનું ગણાવ્યું છે. એક દાયકા દરમિયાન દેશ માટે સૌથી મહત્વના સાબિત થનારી આ ચૂંટણીઓ દરમિયાન ઇકોનોમિસ્ટે દેશના 814 મિલિયન વોટરોને સલાય આપતા જણાવ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી માટે વોટિંગ ના કરે.
ખોટી હશે મોદીની ચૂંટણી
લંડનના આ સાપ્તાહિક ન્યૂઝપેપરે શુક્રવારે લખ્યુ કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સમર્થન ઇકોનોમિસ્ટ તરફથી કરવામાં આવી છે. અખબાર અનુસાર તેઓ એક એવા ચહેરા તરીકે સામે આવી રહ્યા છે જે દેશમાં બનનાર હવેની સરકારના પ્રમુખ હશે. તેઓ એવા વ્યક્તિ છે જેઓ ભારત જેવા દેશમાં લોકોની વચ્ચે ભેદભાવ પેદા કરી રહ્યા છે, તેમના માટે દેશના વડાપ્રધાન બનવું યોગ્ય નથી.
ઇકોનોમિસ્ટ અનુસાર ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાના કારણે તેઓ મોદીનો વિરોધ કરતા આવ્યા છે. તેઓ એવા રાજ્યના મુખ્યમંત્રી હતા જ્યાં વર્ષ 2002માં થયેલા રમખાણમાં 1,000 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના મુસલમાન હતા. ઇકોનોમિસ્ટે નરેન્દ્ર મોદીની ગુજરાતમાં આર્થિક સુધારક તરીકે વખાણ કર્યા છે પંરતુ સાથે સાથે વર્ષ 2002માં જે કંઇ પણ થયું તેના માટે તેની ખાસી ટીકા પણ કરી છે.
ઇકોનોમિસ્ટ અનુસાર અથવા તો નરેન્દ્ર મોદી 2002માં જે કંઇ પણ બન્યું તેના માટે તેઓ વિસ્તૃત રૂપે સૌને બતાવે અથવા તેના માટે માફી માગે. ઇકોનોમિસ્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કેવી રીતે પાડોશી દેશ પાકિસ્તાન સાથે સમસ્યાઓનો નિવેડો લાવશે.
જોકે ઇકોનોમિસ્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ લેખ દ્વારા અખબાર રાહુલ ગાંધી અથવા કોંગ્રેસનો પ્રચાર કરવા નથી ઇચ્છું. ઇકોનોમિસ્ટે લખ્યું છે કે તેને રાહુલ ગાંધી અથવા કોંગ્રેસના નેતૃત્વથી કોઇ આશા નથી પરંતુ સાથે જ સમાચાર પત્રએ ભારતના લોકોને સલાહ આપે છે કે તેઓ ઓછા નિરાશાજનક વિકલ્પની પસંદગી કરે.
ભાજપને કોઇ ફર્ક નથી પડતો
ઇકોનોમિસ્ટના આ લેખ પર ભાજપના પ્રવક્તા નિર્મલા સીતારમણે પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીનો બચાવ કરતા જણાવ્યું હતું કે અખબારના આ લેખમાં નિષ્પક્ષતાની કમી છે અને તેને સંપૂર્ણપણે એક પાર્ટીનો પક્ષ લઇને લખવામાં આવ્યો છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને અમૃતસરથી ચૂંટણી લડનાર અરૂણ જેટલીએ આ લેખ અંગે ટ્વિટર પર લખ્યું છે કે સારુ છે કે ઇકોનોમિસ્ટે દેશમાં વોટિંગ કરવાનું નથી.
વાંચો ઇકોનોમિસ્ટે નરેન્દ્ર મોદી પર શું પ્રહાર કર્યા છે...

ઇકોનોમિસ્ટના મોદી પર પ્રહાર
લંડનના જાણીતા ન્યૂઝપેપર 'ધ ઇકોનોમિસ્ટ'એ આવતીકાલથી ભારતમાં શરૂ થનારા વોટિંગને દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનું ગણાવ્યું છે. આ ચૂંટણીઓ દરમિયાન ઇકોનોમિસ્ટે દેશના 814 મિલિયન વોટરોને સલાય આપતા જણાવ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી માટે વોટિંગ ના કરે.

ઇકોનોમિસ્ટના મોદી પર પ્રહાર
લંડનના આ સાપ્તાહિક ન્યૂઝપેપરે શુક્રવારે લખ્યુ કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સમર્થન ઇકોનોમિસ્ટ તરફથી કરવામાં નથી આવ્યું. અખબાર અનુસાર તેઓ એક એવા ચહેરા તરીકે સામે આવી રહ્યા છે જે દેશમાં બનનાર હવેની સરકારના પ્રમુખ હશે. તેઓ એવા વ્યક્તિ છે જેઓ ભારત જેવા દેશમાં લોકોની વચ્ચે ભેદભાવ પેદા કરી રહ્યા છે, તેમના માટે દેશના વડાપ્રધાન બનવું યોગ્ય નથી.

ઇકોનોમિસ્ટના મોદી પર પ્રહાર
ઇકોનોમિસ્ટ અનુસાર ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાના કારણે તેઓ મોદીનો વિરોધ કરતા આવ્યા છે. તેઓ એવા રાજ્યના મુખ્યમંત્રી હતા જ્યાં વર્ષ 2002માં થયેલા રમખાણમાં 1,000 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના મુસલમાન હતા. ઇકોનોમિસ્ટે નરેન્દ્ર મોદીની ગુજરાતમાં આર્થિક સુધારક તરીકે વખાણ કર્યા છે પંરતુ સાથે સાથે વર્ષ 2002માં જે કંઇ પણ થયું તેના માટે તેની ખાસી ટીકા પણ કરી છે.

ઇકોનોમિસ્ટના મોદી પર પ્રહાર
ઇકોનોમિસ્ટ અનુસાર અથવા તો નરેન્દ્ર મોદી 2002માં જે કંઇ પણ બન્યું તેના માટે તેઓ વિસ્તૃત રૂપે સૌને બતાવે અથવા તેના માટે માફી માગે. ઇકોનોમિસ્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કેવી રીતે પાડોશી દેશ પાકિસ્તાન સાથે સમસ્યાઓનો નિવેડો લાવશે.

ઇકોનોમિસ્ટના મોદી પર પ્રહાર
જોકે ઇકોનોમિસ્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ લેખ દ્વારા અખબાર રાહુલ ગાંધી અથવા કોંગ્રેસનો પ્રચાર કરવા નથી ઇચ્છું. ઇકોનોમિસ્ટે લખ્યું છે કે તેને રાહુલ ગાંધી અથવા કોંગ્રેસના નેતૃત્વથી કોઇ આશા નથી પરંતુ સાથે જ સમાચાર પત્રએ ભારતના લોકોને સલાહ આપે છે કે તેઓ ઓછા નિરાશાજનક વિકલ્પની પસંદગી કરે.

ભાજપે શું કહ્યું..
ઇકોનોમિસ્ટના આ લેખ પર ભાજપના પ્રવક્તા નિર્મલા સીતારમણે પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીનો બચાવ કરતા જણાવ્યું હતું કે અખબારના આ લેખમાં નિષ્પક્ષતાની કમી છે અને તેને સંપૂર્ણપણે એક પાર્ટીનો પક્ષ લઇને લખવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
