નૂંહની આગમા ખાખ થયુ બાદશાહપુર ગામ, હોટેલ, દુકાનોમાં આગ, પત્થારબાજી-તોડફોડ
હરિયાણાના નૂંહ જિલ્લામાં 31 જુલાઇએ હિંસા ભડકી હતી. જેમા ચપેટમાં દિલ્હી નજીક આવેલ ગુરુગ્રામ પણ આવી ગયુ હતુ. જ્યારે ઉપદ્રવીનું તાંડવ ગુરુગ્રામના બાદશાહપુર ગામમાં પણ જોવા મળ્યુ હતુ. મંગળવારે એટલે કે, 1 ઓગસ્ટની સાંજે ઉપદ્રવીઓએ આગજની અને પત્થરાવ, તોડફોડ કરતા આગળ વધ્યા અને ડરનો માહોલ બની ગયો હતો.

આ ડરના માહોલમાં નૂંહના નિવાસી હારુનનો વૈજ નોનવેજ હોટેલ પણ આવી ગયો હતો. હિંસાખોરોએ ઘણા વર્ષોથી ચાલતી હારુનની હોટેલ પર તોડફોડ કરી હતી. આગમાં હોટેલ બળીને ખાખ થઇ ગઇ હતી. તેમજ પાસ સ્થિત કબાબની દુકાનની લપેટમાં આવી ગઇ હતી. એટલુ જ નહી સેક્ટર 70 માં દુકાન, ઝુપડપટ્ટીમાં પણ તોડ ફોડ કરવામાં આવી હતી.
જણાવામાં આવુ રહ્યુ છે કે, હોટેલ અને આગની ઘટના બાદ તે અને તેના કર્મચારીઓ ક્યાં ગયા તે કોઇને ખબર નથી. પરંતુ વિસ્તારમાં ડહનો માહોલ યથાવત છે. જો કે, બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. તણાવ પૂર્ણ સ્થિતિ વચ્ચે પોલીસ ફોર્સ તૈનત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
