દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 300 કેસ નોધાયા, કેજરીવાલ સરકારે બોલાવી ઇમરજન્સી બેઠક
દિલ્હીમાં કોરોના વાયરસના એક વાર ફરી કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 300 કેસ નોધાયા છે. કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હીની અરવિંદ કેજરિવાલની સરકારે ગુરુવારે 30 માર્ચે એટલે કે, ઇમરજન્સી બેઠક બોલાવી હતી. દિલ્હીમાં 6 મહિના બાદ પહેલીવાર એક દિવસમાં 300 કોરોનાના કેસ નોથાયા છે.

દિલ્હી આરોગ્ય વિભાગ અનુાસાર દિલ્હીમાં 31 ઓગસ્ટ 2022 બાદ પહેલી વાર બુધવારે 300 કેસ નોધાયા છે. દિલ્હીમાં કોવિડ પોઝિટિવિટી રેટ 13.89 ટકા વધી ગયો છે. કોરોનાથી બે દર્દીઓની એક જ દિવસમાં મોત પણ થઇ ગઇ છે. દિલ્હીમાં ઓગસ્ટ 31 2022 માં બેની મોત સાથે 377 કેસ નોધાયાા હતા. અત્યારે પોઝિટિવિટી રેટ 2.58 ટકા છે.
દિલ્હીમાં વધતા જતા કેસને જોતા આ મામલે દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આજે સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારિક અને વિશેષજ્ઞો ડોક્ટર સાથે બેઠક કરશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના વિશેષ સચિવ, મહાનિર્દેશક આરોગ્ય સેવાઓ, ઓક્સીજન અને તપાસ ઓનડલ અધિકારી અને એલએનજેપી સહિત હોસ્પિટલના ચિકિસ્સા નિર્દેશક હાજર રહેશે.












Click it and Unblock the Notifications
