ICMR એ Omicron ટેસ્ટ કરવા માટેની પ્રથમ કીટ Omisure ને મંજૂરી આપી
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કોરોના વાયરસના નવા પ્રકાર, Omicron ના પરીક્ષણ માટે OmiSure કીટને મંજૂરી આપી છે. OmiSure કીટ ટાટા મેડિકલ દ્વારા વિકસાવવામાં આવી છે.
નવી દિલ્હી : ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કોરોના વાયરસના નવા પ્રકાર, Omicron ના પરીક્ષણ માટે OmiSure કીટને મંજૂરી આપી છે. OmiSure કીટ ટાટા મેડિકલ દ્વારા વિકસાવવામાં આવી છે.

ICMR એ OmiSure ને મંજૂરી આપી
ઉલ્લેખનીય છે કે, ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડના TATA MD CHECK RT PCR OmiSure ને ICMR દ્વારા 30 ડિસેમ્બરના રોજ જમંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેની માહિતી આજે (મંગળવારે) સામે આવી છે.

દેશમાં ઓમિક્રોનના 1800 થી વધુ કેસ મળી આવ્યા છે
દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના અત્યાર સુધીમાં 1,892 કેસ નોંધાયા છે, જેમાંથી 766 સંક્રમિતો સ્વસ્થ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા પ્રકારના મહારાષ્ટ્રમાં સૌથી વધુ 568 કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં 382, કેરળમાં 185, રાજસ્થાનમાં 174,ગુજરાતમાં 152 અને તમિલનાડુમાં 121 કેસ નોંધાયા છે.

ભારતમાં 1 દિવસમાં 37 હજારથી વધુ કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 37,379 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગઈ છે, જ્યારેએક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગઈ છે.
માહિતી અનુસાર વધુ 124 સંક્રમિતોના મોત બાદ દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 4 લાખ 82 હજાર 17 થઈ ગયો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.13 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના એક્ટિવ કેસમાં 26 હજાર 248 કેસનો વધારો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.24 ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ દર 2.05 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ3,43,06,414 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ભારતમાં કોવિડ 19થી મૃત્યુદર 1.38 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની રોકથામ માટે રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 146.70 કરોડથી વધુ રસીના ડોઝઆપવામાં આવ્યા છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
