ગુજરાત રમખાણ, ગોડસે, મુઘલ દરબાર સહિતના પાઠ ટેક્સબુકમાં પુનઃસ્થાપિત કરવા કેરળ સરકારે આપ્યા નિર્દેશ
કેરળની સામ્યવાદી સરકારે તમામ સરકારી શાળાઓને 12માં ધોરણના પાઠ્યપુસ્તકોમાં 2002ના ગુજરાત રમખાણો, મહાત્મા ગાંધીની હત્યા, મુઘલ ન્યાય વિતરણ પ્રણાલી અને ભારતમાં ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના યોગદાન પરના પાઠ પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ગયા વર્ષે મે મહિનામાં વિદ્યાર્થીઓ પર તર્કસંગતતા અને વધુ પડતા બોજને ટાંકીને ધોરણ 12 પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાંથી આ સામગ્રી કાઢી નાખી હતી.

અમે આ નિર્ણયને કેરળમાં 1 સપ્ટેમ્બરથી લાગુ કરીશું. શિક્ષણ મંત્રીએ અમને પહેલા મૌખિક રીતે શાળાઓને નિર્દેશ આપ્યો છે અને ઓણમની રજાઓ પછી લેખિત આદેશ મોકલવામાં આવશે તેમ કેરળ રાજ્યના શિક્ષણ વિભાગના ડાયરેક્ટર કે જયપ્રકાશે ધ ન્યૂ ઈન્ડિયનને જણાવ્યું હતુ.
શિક્ષણ વિભાગે એ પણ પુષ્ટિ કરી હતી કે નક્સલવાદી ચળવળના ઉત્ક્રાંતિના પ્રકરણો, ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિના સિદ્ધાંતને પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે. વિજયન સરકારનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે આવકવેરા બેન્ચે ચુકાદો આપ્યો છે કે કેરળના મુખ્યમંત્રીની પુત્રી વીણા ટીને એક ખાણ કંપની દ્વારા 1.72 કરોડ રૂપિયા લાંચ તરીકે આપવામાં આવ્યા હતા.
અગાઉ, જૂનમાં, કેરળ સરકારે આ પ્રકરણોને નાબૂદ કરવા માટે NCERT સામે વાંધો વ્યક્ત કર્યો હતો. નવા પાઠ્ય પુસ્તકો માટે પ્રિન્ટિંગ ઓર્ડર આ મહિનાના અંતમાં મૂકવામાં આવશે.
અભ્યાસક્રમ સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં કેન્દ્રના મુખ્ય વિલોપનની ચર્ચા કરી છે અને આ બાબતની તપાસ કરવા અને વિગતવાર યોજના સાથે આવવા માટે એક પેટા સમિતિની રચના કરી છે. આ સમિતિએ કેરળમાં સામાન્ય શિક્ષણ વિભાગ હેઠળની શાળાઓમાં આ તમામ પ્રકરણો ભણાવવાની ભલામણ કરી છે તેમ રાજ્યના શિક્ષણમંત્રી વી શિવન કુટ્ટીએ શનિવારે કોટ્ટયમમાં જણાવ્યું હતું.
ડાબેરીઓ, કોંગ્રેસ અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ કેન્દ્ર સામે વિરોધને વેગ આપતા કહ્યુ કે વાંધાજનક ભાગોને માત્ર એટલા માટે દૂર કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ શાસક સરકારની વિચારધારા પ્રત્યે ટીકા કરતા હતા.
NCERT એ ગયા વર્ષે તેના અભ્યાસક્રમના સુધારા અંગેના નિર્ણયની જાહેરાત કરી હતી જેમાં અન્ય વર્ગો માટેના પાઠ્ય પુસ્તકોમાંથી કેટલાક ફકરાઓ કાઢી નાખવાનો પણ સમાવેશ થાય છે પરંતુ ઘણા રાજ્યોએ હજુ સુધી તેને સંપૂર્ણપણે લાગુ નહોતુ કર્યુ. આ વર્ષે મે મહિનામાં, ઉત્તર પ્રદેશમાં યુપી બોર્ડ અને સીબીએસઈ-બોર્ડની શાળાઓએ ઔરંગઝેબ જેવા મુઘલ સમ્રાટો દ્વારા આચરવામાં આવેલા અત્યાચારને ટાંકીને જાહેરાત કરી હતી કે તેઓ હવે શાળાઓમાં મુઘલ દરબારોનો ઈતિહાસ સામેલ નહિ કરે.












Click it and Unblock the Notifications
