મોદી સરકારના શ્રમ કાનૂનમાં પ્રવાસી મજૂરો માટે ઘણું બધું છે, જાણો વિસ્તારથી

મોદી સરકારના શ્રમ કાનૂનમાં પ્રવાસી મજૂરો માટે ઘણું બધું છે, જાણો વિસ્તારથી

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન મોદી સરકારે શ્રમ સુધારા સાથે જોડાયેલા ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યાં છે. કેન્દ્રીય મંત્રી સંતોષ કુમાર ગંગવારે લોકસભામાં ત્રણેય કોડ્સ સાથે જોડાયેલાં બિલ રજૂ કર્યાં, જેમાં ઑક્યૂપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન કોડ 2020, ઈન્ડસ્ટ્રીયલ રિલેશંસ કોડ 2020ની સાથોસાથ સોશિયલ સિક્યોરિટી કોડ 2020ને રજૂ કરવામાં આવ્યું છે.

labor bill

આ કાનૂનો દ્વારા સરકાર કોઈ કંપનીમાં કામની સુરક્ષાની સાથોસાથ કામગારોમાં સ્વાસ્થ્ય અને કામના માહોલને વિનિયમિત કરવાના પ્રાવધાનો સાથે જોડ્યું છે. આ બિલને રજૂ કરતા પહેલાં કેન્દ્રીય શ્રમ મંત્રીએ 2019માં લાવવામાં આવેલ શ્રમ સુધાર સાથે જોડાયેલ બિલ પરત લઈ લીધું. આ લેબર કાનૂનમાં NDA સરકારે પ્રવાસી મજૂરો માટે કેવરેજના એરિયાનો વિસ્તાર કર્યો. સરકારે કોવિડ 19 મહામારી દરમ્યાન સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલ પ્રવાસી મજૂરોના સોશિયલ સિક્યોરિટી બેનિફિટ્સને ચાલુ રાખતાં લેબર લૉના વિસ્તારનું વિસ્તરણ કર્યું છે.

લલોકસભામાં શ્રમ મંત્રી દ્વારા રજૂ કરાયેલ ઑક્યૂપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન કોડ 2020 બિલ અંતર્ગત 18000 રૂપિયા પ્રતિ માસ્ સુધીની કમાણી કરતા પ્રવાસી મજૂર આ કાનૂન અંતર્ગત કવર થશે. વર્તમાનમાં હાજર કાનૂન અંતર્ગત પ્રવાસી મજૂર લેબર લૉ અંતર્ગત ત્યારે જ કવર થઈ શકે છે જ્યારે તેઓ કોઈ કૉન્ટ્રાક્ટર દ્વારા હાયર કરવામાં આવ્યા હોય. એવામાં જે પ્રવાસી મજૂરોએ પોતાના કામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે તેઓ આ કાનૂનના વિસ્તારમાં નથી આવેતા.

કેન્દ્રએ પ્રવાસી મજૂરોને રોજગારની સુરક્ષા સહિત નવા શ્રમ કાનૂનના વિસ્તારનું વિસ્તરણ કર્યું છે. સરકારે પ્રવાસી મજૂરો માટે વિસ્થાપન ભથ્થાનું પ્રાવધાન પણ રાખ્યું છે. આ ભથ્થું મજૂરોને ઠેકેદારોથી મળશે. એટલું જ નહિ પ્રવાસી મજૂરોના નિયોક્તાઓએ તેમને વાર્ષિક યાત્રા ભથ્થા આપવાં પડશે. મજૂરોને પોતાના પૈતૃક સ્થાનથી કામની જગ્યાએ મુસાફરી કરવામાં જેટલો ખર્ચ થશે આ ભથ્થાં એટલાં જ હશે. એટલું જ નહિ સરકારે પહેલીવાર એવું પ્રાવધાન બનાવ્યું છે જે અંતર્ગત પ્રવાસી મજૂરોને સાર્વજનિક વિતરણ પ્રણાલીનો લાભ પોતાના પૈતૃક સ્થાનની સાથોસાથ પોતાના ગંતવ્ય રાજ્યમાં પણ ઉઠાવી શકશે. આ ઉપરાંત પ્રવાસી મજૂર ઉપકરણ નિધિનો લાભ પણ ત્યાં જ ઉઠાવી શકે છે જ્યાં તે કાર્યરત છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ મુજબ આ પ્રસ્તાવિત કાનૂન ઓછામાં ઓછા 10 શ્રમિકોને કામ પર રાખતા પ્રતિષ્ઠાનો પર લાગૂ પડશે.

આ પણ વાંચો- વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે ત્રણ શ્રમ બિલ લોકસભામાં રજૂ કર્યાં

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે પ્રવાસી મજૂરોને વધુમાં વધુ લાભ પહોંચાડવાની જવાબદારી નિયોક્તાઓની રહેશે. પ્રવાસી મજૂરોને EPFO અને કર્મચારી રાજ્ય વીમા સ્કીમ સાથે જોડવાની જવાબદારી પણ નિયોક્તાની રહેશે. પ્રવાસી મજૂરોને ડેટાસેટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને મેનટેન રાખવી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X