નવી દિલ્હી, 19 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર આગામી 24 એપ્રિલના રોજ વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે.
શાહે જણાવ્યું કે 24 એપ્રિલના રોજ મોદીના ઉમેદવારી પત્રની સાથે જ મોદી નામની લહેર સુનામીમાં પરિવર્તિત થઇ જશે. અરવિંદ કેજરીવાલના ભાજપ પર આરોપોનો જવાબ આપતા શાહે જણાવ્યું કે તેમના આરોપ અર્થવિહોણા અને નિરાધાર છે. ભાજપ તેમના તમામ આરોપોને રદીયો આપે છે.
સાથે જ શાહે વારાણસીથી કોંગ્રેસ ઉમેદવાર અજય રાયના રાયફલ મુદ્દે જણાવ્યું કે રાય AK-47 રાઇફલની ટ્રેડિંગમાં સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે રાજકારણ શુચિતાની વાત કરનાર કોંગ્રેસને શું વારાણસીથી એક પણ ચોખ્ખી છબીવાળો ઉમેદવાર નથી મળ્યો કે તેમણે અજય રાયને મોદીની સામે મેદાનમાં ઉતારવા પડ્યા.
શાહે માંગ કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. આજે લખનઉમાં આયોજિત એક પ્રેસ કોંફ્રેન્સમાં તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા અને બીજા ચરણમાં ભાજપને અપાર જનસમર્થન મળ્યું છે.
તેમણે જણાવ્યું છે કે બંને ચરણોની ચૂંટણીમાં ભાજપ 21માંથી 18 બેઠકો જીતી રહી છે. શાહે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી દેશ છેતરાઇ રહ્યો છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી, આંતરિક સુરક્ષા, મહિલાઓની સુરક્ષા પર જવાબ આપવાને બદલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આરોપો પર ધ્યાન આપી રહ્યા છે.
અમિત શાહે કોની કોની પર કર્યા પ્રહાર...
અમિત શાહે કહ્યું...
ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર આગામી 24 એપ્રિલના રોજ વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે.
મોદી લહેર સુનામીમાં ફેરવાશે...
શાહે જણાવ્યું કે 24 એપ્રિલના રોજ મોદીના ઉમેદવારી પત્રની સાથે જ મોદી નામની લહેર સુનામી પરિવર્તિત થઇ જશે.
આપના આરોપોને રદીયો...
અરવિંદ કેજરીવાલના ભાજપ પર આરોપોનો જવાબ આપતા શાહે જણાવ્યું કે તેમના આરોપ અર્થવિહોણા અને નિરાધાર છે. ભાજપ તેમના તમામ આરોપોને રદીયો આપે છે.
અજય રાયની તપાસ કરવા ECને વિનંતી
શાહે વારાણસીથી કોંગ્રેસ ઉમેદવાર અજય રાયના રાયફલ મુદ્દે જણાવ્યું કે રાય AK-47 રાઇફલની ટ્રેડિંગમાં સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે રાજકારણ શુચિતાની વાત કરનાર કોંગ્રેસને શું વારાણસીથી એક પણ ચોખ્ખી છબીવાળો ઉમેદવાર નથી મળ્યો કે તેમણે અજય રાયને મોદીની સામે મેદાનમાં ઉતારવા પડ્યા.
સોનિયા અને રાહુલને લપેટામાં લીધા...
શાહે માંગ કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. આજે લખનઉમાં આયોજિત એક પ્રેસ કોંફ્રેન્સમાં તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા અને બીજા ચરણમાં ભાજપને અપાર જનસમર્થન મળ્યું છે.