વિક્રમ લેન્ડર-પ્રજ્ઞાન રોવરને લઈને અત્યારસુધીના સૌથી મહત્વના સમાચાર, જાણો શું કહ્યું ઈસરોએ?
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરીને દુનિયાભરમાં ડંકો વગાડી દેનારા ભારતના ચંદ્રયાન 3 મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ઉંઘમાંથી જગાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ચંદ્રયાન મિશનના સોફ્ટ લેન્ડિંગ પછી વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને ચંદ્રના એક દિવસની કામગીરી બાદ 2 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા. હવે બન્નેને જગાડવા માટે પુરા પ્રયાસ કરાઈ રહ્યા છે.

સૂર્યપ્રકાશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પડી રહ્યો છે પરંતુ પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડમાં છે અને તેને જગાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રજ્ઞાન રોવરે ચાંદની ધરતી પર 100 મીટર મુસાફરી કરી છે અને ડેટા મોકલ્યો છે.
ચંદ્રયાને પરીક્ષણ માટે ચંદ્રની માટીના નમૂના લીધા તેમા ચંદ્ર પર સલ્ફર, આયર્ન, ઓક્સિજન અને અન્ય ઘણા તત્વો હોવાની પુષ્ટિ થઈ છે. 40 દિવસની મુસાફરી પછી 23 ઓગસ્ટે ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર ઉતર્યુ છે.
ઈસરો દ્વારા સ્લીપ મોડમાં મુકાયા બાદ હવે તેને ફરીથી જગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ચંદ્રયાનને લઈને કોઈ નવો ડેટા મળ્યો નથી. ઈસરોના વૈજ્ઞાનિકોએ તેને ચંદ્ર પર ફરીથી સક્રિય કરવા માટે પૂરા પ્રયાસ કર્યા પરંતુ હજુ સુધી તે સફળ થયા નથી.
ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ કહ્યું કે, 30 સપ્ટેમ્બરે ચંદ્ર સૂર્યાસ્ત સુધી લેન્ડર અને રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે. આશા છે કે શિવશક્તિ પોઈન્ટ પર સીધો સૂર્યપ્રકાશ પડ્યા બાદ લેન્ડર સાથે સંપર્ક પુનઃસ્થાપિત કરી શકાશે.
SACના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈના જણાવ્યા અનુસાર, લેન્ડર અને રોવર ઓટોમેટિક છે. ગયા અઠવાડિયે 22 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર સૂર્યોદય પછી લેન્ડર અને રોવર ચાર્જ થતાંની સાથે જ સિગ્નલ આવવાના હતા. જો કે આવુ થયુ નથી.
એક અહેવાલ અનુસાર, ઈસરોના અધિકારીએ કહ્યું છે કે વિક્રમ અને પ્રજ્ઞાન રોવર્સને પહેલા પિંગ કરવામાં આવી રહ્યા છે. પ્રજ્ઞાન રોવર સાથે હજુ સુધી ઘણા સંપર્કો સ્થાપિત થયા નથી. અવકાશ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રના પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની બીજી વખત સક્રિય થવાની શક્યતા ઓછી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
