આ તારીખે યોજાશે વિપક્ષી ગઠબંધન INDIA ની આગળની બેઠક, આ મહત્વની જાહેરાત કરાશે
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયાની આગળની બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે આ બાબતે વાત કરતા મહત્વની જાણકારી આપી હતી.
પટના અને બેંગ્લોરની બેઠક બાદ હવે વિપક્ષી પાર્ટઓ મુંબઈમાં મળવા જઈ રહી છે. 31 ઓગસ્ટે સાંજે મુંબઈમાં બે દિવસીય સામાન્ય સભા શરૂ થશે. આ બેઠકમાં ગઠબંધન INDIA નો લોગો પણ લોન્ચ થઈ શકે છે.

મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે જણાવ્યુ કે, બેઠકમાં લગભગ 26-27 પાર્ટીઓ જોડાઈ શકે છે. અશોક ચૌહાણે કહ્યું કે, 31 ઓગસ્ટે સાંજે મુંબઈમાં અનૌપચારિક બેઠક અને 1 સપ્ટેમ્બરે ઔપચારિક બેઠક થશે. અત્યારસુધીમાં બે બેઠકો થઈ ચૂકી છે તેથી આ ત્રીજી બેઠકમાં આગળના એજન્ડાની ચર્ચા થશે.
અશોક ચૌહાણે જણાવ્યુ કે, અમે એક કોમન લોગો બનાવવાનું નક્કી કરી રહ્યા છીએ અને તેનું અનાવરણ 31મી ઓગસ્ટે થઈ શકે છે. જણાવી દઈએ કે આ પહેલા પીએલ પુનિયાએ સ્પષ્ટ કર્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી જીત્યા બાદ જ વડાપ્રધાન પદ માટે નામ જાહેર કરવામાં આવશે.
જણાવી દઈએ કે આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીને ટક્કર આપવા 26 વિપક્ષી પાર્ટીઓએ મળીને ઈન્ડિયા ગઠબંધનની જાહેરાત કરી છે. આ તમામ પાર્ટીઓ એકસાથે લોકસભા ચૂંટણીમાં બીજેપીને સત્તામાંથી ઉતારવા માટે મેદાને પડશે.
જણાવી દઈએ કે, આ ગઠબંધન બાદ વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે માથાનો દુખાવો બની છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે પહેલી વખત એકસાથે મોદી સરકારને પરસેવો છોડાવ્યો હતો.












Click it and Unblock the Notifications
