1947ના ભાગલાએ બે મિત્રોને અલગ થયા, 74 વર્ષ બાદ કરતારપુરમાં મળ્યા
1947માં ભારતના ભાગલાને કારણે અલગ થઈ ગયેલા બંને મિત્રોએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, તેઓ ફરી ક્યારેય એકબીજાને મળશે, પરંતુ 74 વર્ષ બાદ આ તક આવી.
નવી દિલ્હી : 1947માં ભારતના ભાગલાને કારણે અલગ થઈ ગયેલા બંને મિત્રોએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, તેઓ ફરી ક્યારેય એકબીજાને મળશે, પરંતુ 74 વર્ષ બાદ આ તક આવી. કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબમાં આ બંને મિત્રો 74 વર્ષ બાદ એકબીજાને મળ્યા હતા.
1947માં દેશની આઝાદીની સાથે જ વિભાજનની દુર્ઘટના પણ આવી, જેમાં લાખો લોકોએ અચાનક પોતાના ઘર છોડીને આશ્રીત બનવું પડ્યું હતું. તેમાં સરદાર ગોપાલ સિંહ (94 વર્ષ, ભારત ) અને મુહમ્મદ બશીર (91 વર્ષ પાકિસ્તાન) હતા. ભાગલાએ બે મિત્રોને અલગ કરી દીધા, જેઓ એક સમયે એક સાથે રમતા હતા.
કરતાર કોરિડોર ખોલ્યા બાદ જ્યારે સરદાર ગોપાલ સિંહ ગુરુદ્વારા દરબાર સાહિબ પહોંચ્યા, ત્યારે તેમને ખબર ન હતી કે, પવિત્ર સ્થળની મુલાકાતની સાથે તેમને તેમના મિત્ર મુહમ્મદ બશીરને મળવાનો પણ મોકો મળશે, જેઓ 74 વર્ષ પહેલા અલગ થઈ ગયા હતા. જે પાકિસ્તાનના નારોવાલ શહેરમાં રહેતો હતો અને ત્યાંથી કરતારપુર કોરિડોર પહોંચ્યા હતા.
વિભાજન પહેલાના દિવસોની યાદ
પાકિસ્તાનના અખબારે તેમની મિત્રતાના સમાચાર પ્રકાશિત કર્યા અને લખ્યું કે, બંને મિત્રોએ એકબીજાને ઓળખતા જ બંને ભાવુક થઈ ગયા હતા.
બંનેએ વિભાજનપહેલાની તેમની યુવાનીના દિવસોને યાદ કર્યા, જ્યારે તેઓ એકસાથે ડેરા બાબા નાનક ગુરુદ્વારામાં જતા, સાથે ભોજન અને ચા પીતા.
આ સમાચાર જોતા જ સોશિયલમીડિયા પર વાયરલ થઈ ગયા હતા. ઘણા લોકોએ તેને ફિલ્મી સ્ટોરી જેવું કહ્યું હતું.
કરતારપુરની હાર્ટ ટચિંગ સ્ટોરી
હરજિન્દર સિંહ કુકરેજાએ ટ્વિટર પર લખ્યું કે, "થોડા સમય માટે ધર્મ અને તીર્થયાત્રાને બાજુ પર રાખો... આ કરતારપુરની એક હૃદયસ્પર્શી વાર્તા છે.
કરતાર કોરિડોરેભારતના બે જૂના મિત્રો સરદાર ગોપાલ સિંહ (94 વર્ષ, ભારત) અને પાકિસ્તાનના મુહમ્મદ બશીર (91 વર્ષ, પાકિસ્તાન)ને શેર કર્યા છે. 74 વર્ષ બાદ તેમનો મેળાપથયો હતો. 1947ના ભાગલામાં અલગ થયા હતા.
અન્ય એક યુઝરે લખ્યું કે, અમે ભાગ્યશાળી છીએ કે અમે પાર્ટીશનના છેલ્લા પુનઃમિલનના સાક્ષી છીએ. એ વિચારીને દુઃખ થાય છે કે, થોડાક દાયકામાં આ પેઢી જતી રહેશે. તેઓ જે પીડામાંથી પસાર થયા છે, તે માત્ર તેઓ જ જાણે છે.
દરબાર સાહેબ શીખોનું મહત્વનું તીર્થસ્થાન
કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ શીખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે, પરંતુ પાકિસ્તાનમાં હોવાને કારણે ભારતના શીખો માટે અહીં જવાનું મુશ્કેલ હતું.
આના ઉકેલ માટે ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે મળીને કરતારપુર કોરિડોર બનાવવા માટે સંમત થયા હતા. આ કોરિડોર ભારતના ગુરદાસપુરમાં ગુરુદ્વારા ડેરાબાબા નાનક સાહિબને પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબ સાથે જોડે છે.
ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે સરકારે શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવની જન્મજયંતી પર તેને ફરીથી ખોલવાનોનિર્ણય કર્યો છે. આ કોરિડોર દ્વારા શીખ શ્રદ્ધાળુઓ વિઝા વગર પાકિસ્તાનમાં દરબાર સાહિબની મુલાકાત લઈ શકશે.