આદિવાસી અને વિધવા હોવાથી સંસદ ભવનના ઉદઘાટનમાંથી રાષ્ટ્રપતિને બાકાત રાખવા સનાતન ધર્મ છે?: ઉદયનીધી સ્ટાલિન
Udhayanidhi Stalin On President Murmu: સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા સાથે સરખાવીને રાજકીય ખળભળાટ મચાવનાર તમિલનાડુના મંત્રી અને સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને મોટુ નિવેદન આપ્યું છે.
ઉદયનિધિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવી સંસદના ઉદ્ઘાટન માટે આમંત્રણ ન આપવાને સનાતન ધર્મ સાથે જોડ્યુ છે. હવે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવી સંસદની મુલાકાત માટે આમંત્રણ ન આપવું એ સનાતન ધર્મનું ઉદાહરણ છે.

ઉદયનિધિએ મદુરાઈમાં કહ્યુ કે, 'નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓ (ભાજપ)ને ઉદ્ઘાટન માટે તમિલનાડુમાંથી અધિનામ મળ્યા હતા, પરંતુ ભારતના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયમાંથી છે. શું આ સનાતન ધર્મ છે? અમે તેની સામે અમારો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું.'
સનાતન ધર્મ અંગેના પોતાના નિવેદનના કારણે આક્રમક રહેલા DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. દરેક વ્યક્તિએ નવી સંસદની મુલાકાત લીધી, પરંતુ આપણા રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, એમ તેમણે મદુરાઈમાં ડીએમકે યુવા પાંખની બેઠકમાં જણાવ્યું હતું. ઉદયનિધિ સ્ટાલિને તેમના દાવાને પુનરોચ્ચાર કર્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે તે અનુસૂચિત જનજાતિ સમુદાયના હતા અને વિધવા હતા.
સનાતન ધર્મ પરના પોતાના નિવેદનને લઈને ચારેબાજુ રાજકીય હુમલાઓનો સામનો કરી ચૂકેલા ઉદયનિધિએ બુધવારે પાર્ટીની બેઠકમાં કહ્યું, "ગઈકાલે, કેટલાક હિન્દી કલાકારો આવ્યા અને નવી સંસદની મુલાકાત લીધી, પરંતુ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. શા માટે? કારણ કે તે આદિવાસી સમુદાયમાંથી છે, કારણ કે તે વિધવા છે. આને આપણે 'સનાતન ધર્મ' કહીએ છીએ."
પાર્ટી કાર્યકર્તાઓના એક કાર્યક્રમને સંબોધતા ઉદયનિધિએ કહ્યું કે ડીએમકે જન્મથી જ લોકોમાં સમાનતા માટે લડવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ સેંગોલને રજૂ કરવા તમિલનાડુના ધાર્મિક વડાઓને નવી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. પરંતુ દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
VIDEO | "Yesterday, some Hindi actors came and visited the new Parliament but our President was not invited. Why? Because Droupadi Murmu is from a tribal community. This is what we call 'Sanatan Dharma'," Tamil Nadu minister @Udhaystalin said at a meeting of DMK Youth Wing in… pic.twitter.com/K4JtYWNyz1
— Press Trust of India (@PTI_News) September 20, 2023
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
