હાઇકોર્ટમાં પંજાબ સરકારે સરહદી વિસ્તારમાં ખનન પરથી સ્ટે હટાવવા કરી અરજી
પંજાબમાં સરકારે ખનન કરવા મામલે સેના સાથે મળીને કામ કરવાની વાત કરતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટ પાસે પંજાબ સરહદી વિસ્તારમાં ખનન પર લગાવેલા સ્ટે હટાવવા માટે અરજી કરી છે.
પંજાબમાં સરકારે ખનન કરવા મામલે સેના સાથે મળીને કામ કરવાની વાત કરતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટ પાસે પંજાબ સરહદી વિસ્તારમાં ખનન પર લગાવેલા સ્ટે હટાવવા માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, પઠાણકોટ અને ગુરૂદાસપુરમાં ખનન મામલે હાઇકોર્ટે પંજાબ સરકારને નવેસરથી નક્કર જવાબ આપવાનો આદેશ આપ્યો હતો. હવે હાઇકોર્ટે આગામી આદેશ સુધી માઇનિંગ પર સંપૂર્ણપણે રોક રહેશે.
એક વકીલના જણાવ્યા મુજબ ઉપરોક્ત કેસમાં ગુરૂવારના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબના જિલ્લા પઠાણકોટ અને ગુરદાસપુરમાં માઈનિંગ પરનો સ્ટે ચાલુ રાખ્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પંજાબ સરકારને આપવામાં આવેલા જવાબમાં એક પણ શબ્દ નથી, જે સમજાવે કે, ગેરકાયદેસર ખનન રોકવા માટે શું કરવામાં આવી રહ્યું છે. પંજાબ સરકારના વકીલે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ખનન રોકવા માટે એક બેઠક યોજવી જોઈએ.
ચીફ સેક્રેટરીએ પણ ખાણકામ સ્થળની મુલાકાત લેવાની વાત કરી હતી. હાઈકોર્ટે બીએસએફ દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબ પર જણાવ્યું હતું કે, માઈનિંગ રોકવા માટે કેમ કંઈ કરવામાં આવી રહ્યું નથી. રાષ્ટ્રીય સુરક્ષા એક મોટો મુદ્દો છે. પંજાબના અધિકારીઓ શું કરી રહ્યા છે. આટલા ગંભીર મુદ્દા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
પંજાબ સરકારે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ખાણકામ પર કાર્યવાહી કરવા માટે 500 થી વધુ કેસ નોંધીને 589 લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટે પંજાબ સરકારને પૂછ્યું હતું કે, શું ગેરકાયદેસર ખાણકામ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે કે નહીં, પરંતુ પંજાબ સરકારના વકીલ તેનો જવાબ આપી શક્યા નહીં. હાઈકોર્ટે પંજાબના મુખ્ય સચિવને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.