પંજાબ સરકારે 31 શાળાઓના નામ બદલીને સ્વતંત્રતા સેનાની અને શહિદોના નામે રાખ્યા
પંજાબ સરકારની ભગવંત માન સરકાર તેના ક્રાંતિકારીઓ માટે જાણીતી છે. હવે પંજાબ સરકારે વધુ એક ક્રાંતિકારી કદમ ઉઠાવતા રાજ્યની 31 સરકારી શાળાઓને શહિદો અને સ્વતંત્રતા સેનાનીના નામ આપવાની જાહેરાત કરી છે.
પંજાબ સરકારે દેશની રક્ષા કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોનું સન્માન કરવા અને આવનારી પેઢીઓને આ વ્યક્તિત્વ વિશે માહિતગાર કરવા માટે આ ઉત્તમ પગલું ભર્યું છે.

પંજાબ સરકારના આ નિર્ય વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રી હરજોજ સિંહ બેન્સે જણાવ્યું કે, રાજ્યની ભગવંત માન સરકારે પંજાબની સરકારી શાળાઓના નામ બદલવાનો નિર્ણય કર્યો છે. ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન ત્રીજા તબક્કામાં વધુ 31 સરકારી શાળાઓના નામ બદલવામાં આવ્યા છે.
શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના આદેશ મુજબ સરકારી શાળાઓનું નામ સ્વતંત્રતા સેનાની અને શહીદ સૈનિકોના નામ પર રાખવામાં આવી રહ્યા છે, જેથી આપણી આવનારી પેઢીઓ પણ આ વ્યક્તિઓના બલિદાન વિશે જાણી શકે.
તેમણે કહ્યું કે, સાર્વજનિક સરકારી શાળાઓના નામ બદલવામાં આવ્યા છે તેમાં ખટકર કલાન, જિલ્લા શહીદ ભગત સિંહ નગરની સરકારી હાઈસ્કૂલનું નામ બદલીને શહીદ-એ-આઝમ ભગત સિંહ સરકારી હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
