ગોધરાકાંડના આરોપી 17 વર્ષથી જેલમાં, સુપ્રિમના આગ્રહ પર જામીન અરજી પર સુનાવણી
સુપ્રિમ કોર્ટોમાં ગોધરાકાંડના દોષિતોને જામીન આપ્યા હતા. સુપ્રિમ કોર્ટમાં 2018 થી પેન્ડીક જામીન અરજી પર સુનવણી 2 ડિસેમ્બરના રોજ અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત ગોધરાકાંડના દોષિતોને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યવા છે. દોષિતો 2004 થી જેલમાં બધ છે. તેમને 17 વર્ષ જેટલો લાંબો સમય થઇ ચૂક્યો છે. જેથી તેમને જામીન આપવામાં આવ્યા છે. દોષિતોને આપવામાં આવેલા જામીનનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અને એવી રજુઆત કવરામાં આવી હતી. દોષિતો જઘન્ય ગુનાઓ પૈકી એક હતો. એટલે જામીન ના આપવામાં આવે. તેમ જણાવ્યુ હતુ.
સુપ્રિમ કોર્ટ દ્વારા ગોધરાકાંડના આરોપીને જામીન આપ્યા હતા. આરોપીની 2018થી અરજી પડતર છે. તેની સુનવણી હાથ ધરવામાં આવી હતી. ગત 2 ડિસેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટના સીજેઆઇ દ્વારા ગુજરાત સરકાર પાસે જાણકારી માંગી હતી કે, કયા આરોપીની શુ ભૂમિકા હતા. દોષિત ફારુકનો અરજી પણ કોર્ટમાં પહોચી હતી. એસજીએ જ્યારે સુનાવણી જાન્યુઆરી સુધી સ્થગિત કરવાની માગ કરી હતી. ત્યાર ફારુકના વકીલે બેન્ચને કહ્યુ હુ કે અજી પર શિયાળુ વેકેશન પહેલા સુનાવણી કરાય કારણ કે, રાજ્ય બીજી વાર સ્ટે માંગી રહ્યુ છે. બેન્ચે કહ્યુ હતુ કે, તે સો પહેલા જામીન અરજી પર વિચાર કરશે.
ફેબ્રુઆરી 2002 માં ગોધરામાં સાબરમતિ એક્સપ્રેસ ટ્રેનના કોચને ટોળાએ આગ ચાંપી હતી. જેમા 59 કારસેવકોના મોત થયા હતા. દોષી ફારુક પર પત્થરમારો કરવાનો અને હત્યા કરવાનો કેસ સાબિત થયો હતો. અને તે બાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પહેલા ગત 13 મે 2022ના રોજ કેસના અન્ય દોષી અબ્દુલ રહેમાન ંધિતયા કાનકટ્ટો જમ્મુરોને છ મહિનાના જામીન અપાયા હતા. ગત 11 નવેમ્બરે તેના જામીન આગામી 31 માર્ચ સુધી લબાવી અપાયા હતા.