Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જામીન ન આપવા બદલ સુપ્રિમ કોર્ટે જજને આપી સજા, કહી દીધી મોટી વાત

સુપ્રિમ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન ન આપવા બદલ એક સેશન કોર્ટના જજને સજા આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે મંગળવારના રોજ અલાહબાદ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, ન્યાયિક જવાબદારિઓ લઇ લીધી છે. આ સાથે તેમની કુશળતા સુધારવા માટે ન્યાયિક અકાદમીમાં મોકલવામાં આવશે.

Supreme Court

સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી

સુપ્રીમ કોર્ટે 21 માર્ચના રોજ ચેતવણી આપી હતી કે, જો કોઈ વારંવાર આવા ચુકાદા આપે છે, તો તેની પાસેથી ન્યાયિક કાર્યની જવાબદારી લેવામાં આવશે અને તેને ન્યાયિક અકાદમીમાં મોકલવામાં આવશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેચને કહેવામાં આવ્યું હતું કે, જજો સૂચનાઓનું પાલન કરી રહ્યા નથી.

એડવોકેટ સિદ્ધાર્થ લુથરા, જેઓ કોર્ટને એમિકસ ક્યુરી તરીકે મદદ કરી રહ્યા છે, તેમણે આવા બે કેસ કોર્ટ સમક્ષ મૂક્યા હતા, જેમાં જામીન માટેના આદેશ આપવામાં આવ્યા ન હતા.

એક કેસ લગ્નના વિવાદ સાથે સંબંધિત હતો. લખનઉના સેશન્સ જજે આરોપી અને તેની માતાની અરજી પર તેને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો, જ્યારે તેની ધરપકડ પણ કરવામાં આવી ન હતી. આ સાથે અન્ય કેસમાં, એક આરોપી કેન્સરથી પીડિત હતો અને ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે તેને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.

આ કેસ પર નિરાશા વ્યક્ત કરતા બેચે જણાવ્યું હતું કે, આવા ઘણા આદેશો પસાર કરવામાં આવે છે, જે આપણા આદેશો સાથે મેળ ખાતા નથી. બેચે જણાવ્યું હતું કે, કોર્ટમાં કાયદાના આધારે નિર્ણયો સંભળાવવામાં આવે છે અને તેનું પાલન કરવું જરૂરી છે. ઉત્તર પ્રદેશમાં સ્થિતિ ખૂબ જ ખતરનાક છે. 10 મહિના પહેલા નિર્ણય આપ્યા બાદ પણ તેનું પાલન થતું નથી.

બેચે જણાવ્યું હતું કે, 21 માર્ચના રોજ અમારા આદેશ બાદ પણ લખનઉ કોર્ટે તેનું ઉલ્લંઘન કર્યું છે. અમે આ આદેશને અલ્હાબાદ હાઈકોર્ટના ધ્યાન પર પણ લાવ્યા છીએ. હાઈકોર્ટે જરૂરી પગલાં લેવા જોઈએ અને ન્યાયાધીશોની ન્યાયિક કાર્યક્ષમતા સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પોલીસ શાસનની જરૂર નથી, જ્યાં લોકોની બિનજરૂરી ધરપકડ કરવામાં આવે.

કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, જ્યાં કસ્ટડીની જરૂર નથી, ત્યાં સાત વર્ષથી ઓછી સજા હોય, તેવા કેસમાં ધરપકડ કરવાની જરૂર નથી. જો કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હોય અને તે તપાસમાં સહકાર આપી રહ્યો હોય, તો ચાર્જશીટ દાખલ થયા બાદ જ તેને કસ્ટડીમાં લેવા જોઈએ. જુલાઈમાં કોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે, બંધારણની ગરિમા જાળવવાની જવાબદારી ટ્રાયલ કોર્ટની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X