સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને લગાવી ફટકાર, મેજિસ્ટ્રેટની ટીકા કરી
Supreme Court : ગુજરાત પોલીસે સુરત સ્થિત વેપારીની કસ્ટડી માંગી અને મેજિસ્ટ્રેટે તેને આગોતરા જામીન આપ્યા હોવા છતાં તેના પોલીસ રિમાન્ડની મંજૂરી આપવાનો સખત અપવાદ લેતા, સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ અને મેજિસ્ટ્રેટ બંને શિક્ષિત થવાની જરૂર છે અને નીચલી અદાલતે કેસની યોગ્યતામાં ગયા વિના ધરપકડ પૂર્વેની જામીન અરજી ફગાવી દેવાની પ્રથા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની ખંડપીઠે છેલ્લી સુનાવણીમાં સુરતના ટોચના પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટને તિરસ્કારની નોટિસ પાઠવી હતી, અને આ કેસમાં ગુજરાત હાઈકોર્ટને પક્ષકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેને નોટિસ ફટકારી હતી.

સુનાવણીની શરૂઆતમાં, સોલિસિટર જનરલ તુષાર મહેતા કે, જેઓ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ અને ઐશ્વર્યા ભાટી સાથે હતા તેમણે નિખાલસતાથી સ્વીકાર્યું કે, તે સત્તાવાળાઓની ભૂલ હતી, જેનો બચાવ કરી શકાતો નથી. તેમણે જણાવ્યું હતું કે, સંબંધિત પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ખંડપીઠે અવલોકન કર્યું કે, અમે મેજિસ્ટ્રેટને જ્યુડિશિયલ એકેડમીમાં મોકલવા માટે ગુજરાત હાઈકોર્ટને કહેવું પડશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, CrPC હેઠળ પોલીસને કસ્ટડી મેળવવાની મંજૂરી આપતી કોઈ જોગવાઈ નથી, જ્યારે કોઈ વ્યક્તિને ઉચ્ચ અદાલતોમાંથી આગોતરા જામીન મળ્યા હોય.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અમારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં એક પ્રથા પ્રવર્તે છે કે જામીન મંજૂર થયા પછી, રિમાન્ડ માટે અરજી કરવા માટે IO (તપાસ અધિકારી) ને સ્વતંત્રતા આપવા માટે એક લીટીનો ઉલ્લેખ કરવામાં આવે છે. અમને જાણવા મળ્યું છે કે આવી સ્થિતિ કલમ 438 સીઆરપીસીનો ખૂબ જ હેતુ છે.












Click it and Unblock the Notifications
