સુપ્રીમ કોર્ટનો મોદી સરકારને તમાચો, ED ડિરેક્ટરના સેવા વિસ્તારને ગેરકાયદે ગણાવ્યો
બંધારણ વિરોધી સરકાર હોવાના આરોપોનો સામનો કરી રહેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે એકલી સુપ્રીમ કોર્ટ બાથ ભીડી રહી છે. મોદી સરકારના એક પછી એક બંધારણ વિરોધી પગલાઓની સુપ્રીમ કોર્ટ કડક શબ્દોમાં ઝાટકણી કાઢી રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મોટો તમાચો માર્યો છે.
ઈડીના નિર્દેશન સંજય મિશ્રાના સેવા વિસ્તારને લઈને ચાલી રહેલી સૂનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને તમાચો મારતા આ સેવા વિસ્તારને ગેરકાયદે ગણાવ્ય છે. જો કે કોર્ટે તેમને 31 જૂલાઈ સુધી પદ પર રહેવાની પરવાનગી આપી છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, 8 મેના રોજ સુનાવણી પુરી થયા બાદ સુપ્રીમ કોર્ટે સંજય મિશ્રાને ત્રીજી વખત સેવા વિસ્તાર આપવાના નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સંજય મિશ્રાને ED ડાયરેક્ટર તરીકે ત્રીજી વખત એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટમાં પડકારયુ હતું.
આ સેવા વિસ્તારને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેંચ દ્વારા સૂનાવણી કરવામાં આવી અને હવે તેમને પદ પર સેવા વિસ્તાર ન કરવા આદેશ કર્યો છે.
કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, સંજય મિશ્રા પોલીસ મહાનિર્દેશક નથી પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આટલા માટે સંસદે સભાનપણે નિર્ણય લીધો છે.
તેમને કોર્ટને જણાવ્યું કે, ED ડાયરેક્ટર સંજય મિશ્રા નવેમ્બરથી નિવૃત્ત થશે. છેલ્લી સુનાવણીમાં પણ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ED ડિરેક્ટરનો કાર્યકાળ વધારવાના સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો.
બીજી તરફ એમિકસ ક્યુરી કે.વી. વિશ્વનાથને કોર્ટને લોકશાહીના વ્યાપક હિતમાં સુધારાને રદ્દ કરવા વિનંતી કરી હતી. તેમને ભય વ્યક્ત કર્યો કે ભવિષ્યની સરકારો દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની દલીલ હતી કે, મની લોન્ડરિંગના ગુનાઓ વિદેશી દેશો સાથે સંબંધિત છે. તુષાર મહેતાએ કહ્યું કે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા દેશના મૂલ્યાંકન માટે તે મહત્વપૂર્ણ હોવાથી વહીવટી કારણોસર સંજય મિશ્રાના કાર્યકાળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, 17 નવેમ્બર 2022ના રોજ કેન્દ્ર સરકારે સતત ત્રીજી વખત ED ડાયરેક્ટરને સર્વિસ એક્સટેન્શન આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
