મુંબઈમાંથી ગુજરાતી-રાજસ્થાની હટાવવામાં આવશે તો પૈસા નહીં બચે, રાજ્યપાલના નિવેદન પર સંજય રાઉતે આપી પ્રતિક્રિયા
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ વિશે નિવેદન આપ્યું છે. રાજ્યપાલના આ નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
મહારાષ્ટ્ર, 30 જુલાઈ : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ વિશે નિવેદન આપ્યું છે. રાજ્યપાલના આ નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ભગતસિંહ કોશિયારીના દ્વારા આપવામાં આવેલા આ નવા નિવેદન પર ઘેરાયેલા જણાય છે. આ સાથે જ શિવસેનાએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યું આ નિવેદન
હકીકતમાં, મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારના રોજ એક સ્થાનિક ચોકનું નામ સ્વર્ગસ્થ શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામપરથી રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢીનાખવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. મુંબઈ દેશની આર્થિક રાજધાની રહી શકશે નહીં.
સંજય રાઉતે આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો
મહારાષ્ટ્રના રાજ્યપાલના આ નિવેદને ફરી એકવાર મહારાષ્ટ્રવાસી વિરુદ્ધ બહારના વ્યક્તિના મુદ્દાને વેગ આપ્યો છે. તો ત્યાં જ રાજ્યપાલનાઆ નિવેદન બાદ શિવસેના આક્રમક બની છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રાજ્યપાલનાનિવેદનનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ પ્રાયોજિત મુખ્યમંત્રીના આગમનને કારણે મરાઠી લોકોનું અપમાન થઈરહ્યું છે. રાઉતે કહ્યું છે કે, આ મરાઠી શ્રમજીવી લોકોનું અપમાન છે.
|
સંજય રાઉતે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન ગણાવ્યું
ઉલ્લેખનીય છે કે, સંજય રાઉતે આ અંગે ઘણી ટ્વિટ કરી છે. પોતાના એક ટ્વીટમાં તેમણે લખ્યું, 'મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનુંઅપમાન કરવામાં આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત મુખ્યમંત્રી છે.
સ્વાભિમાન અને અપમાનના મુદ્દે છૂટા પડેલા જૂથ આ અંગેમૌન રહે તો શિવસેનાનું નામ ન લેવું જોઈએ. કમ સે કમ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેનો વિરોધ કરવો જોઈએ. આ મહારાષ્ટ્રના લોકોનુંઅપમાન છે.