સીએએ વિરુદ્ધ અરજીઓ અંગે કેન્દ્ર સરકારે એસસીને કરી આ અપીલ
નાગરિકતા સુધારો કાયદાને પડકારતી તમામ અરજીઓ દેશની જુદી જુદી અદાલતમાં દાખલ કરવામાં આવી છે. સરકારે દેશની સર્વોચ્ચ અદાલતને અપીલ કરી છે કે જુદી જુદી ઉચ્ચ અદાલતમાં દાખલ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા
નાગરિકતા સુધારો કાયદાને પડકારતી તમામ અરજીઓ દેશની જુદી જુદી અદાલતમાં દાખલ કરવામાં આવી છે. સરકારે દેશની સર્વોચ્ચ અદાલતને અપીલ કરી છે કે જુદી જુદી ઉચ્ચ અદાલતમાં દાખલ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. સરકારની અપીલ બાદ સુપ્રીમ કોર્ટે તેના પર નોટિસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે તે 22 જાન્યુઆરીએ નાગરિકતા સુધારા કાયદા સંબંધિત તમામ અરજીઓ અને સુપ્રીમ કોર્ટમાં આ તમામ અરજીઓને સ્થાનાંતરિત કરવાની અરજી પર સુનાવણી કરશે.

નાગરિકતા સુધારો કાયદા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આ કાયદા સામે જુદા જુદા રાજ્યોમાં અરજીઓ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો જુદા જુદા રાજ્યોમાં આ કાયદાની વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી થાય છે, તો સરકારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેથી જ સરકારે આ તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સ્થાનાંતરિત કરવા સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. આ કરીને સરકાર આ તમામ અરજીઓનો જવાબ આપી શકશે.
નોંધનીય છેકે ઘણી રાજ્ય સરકારોએ તેમના રાજ્યમાં નાગરિકતા સુધારો કાયદો લાગુ કરવાની ના પાડી છે. પરંતુ ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છેકે દેશની સંસદમાં નાગરિકતા સુધારો કાયદો પસાર કરવામાં આવ્યો છે અને નાગરિકત્વનો મુદ્દો કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને તેથી તેનો અમલ કરવો દરેક રાજ્ય માટે ફરજિયાત છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ કાયદો નાગરિકત્વ લેવાનો નહીં પરંતુ આપવાનો છે. આ કાયદા હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ, શીખ, ખ્રિસ્તી બૌદ્ધ, જૈનો અને પારસીઓના સતાવેલા લોકોને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે જો તેઓ 31 ડિસેમ્બર 2014 થી ભારતમાં રહે છે.












Click it and Unblock the Notifications
