Union Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણે Digital Census 2021ની કરી ઘોષણા
Union Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણે Digital Census 2021ની કરી ઘોષણા
What is Digital Census 2021: નાણામંત્રીએ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021 રજૂ કર્યું, જેમાં તેમણે દેશના બુનિયાદી માળખાને મજબૂત કરવાને લઈ કેટલાય મોટાં એલાન કર્યાં છે જ્યારે પોતાની સ્પીચમાં તેમણે કહ્યું કે વર્ષ 2021ની વસ્તી ગણતરી ડિજિટલી થશે, જે ભારતના ઈતિહાસમાં પહેલીવાર થશે. આ વસ્તી ગણતરી માટે 3768 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે આ એક ઐતિહાસિક પગલું હશે, જેનાથી દેશની તસવીર બદલાઈ જશે.

ડિજિટલી વસ્તી ગણતરી થશે
જણાવી દઈએ કે 23 સપ્ટેમ્બર 2020ના રોજ ગૃહમંત્રી અમિત શાહે એલાન કર્યું હતું કે ડિજિટલ ઈન્ડિયા મિશનને પ્રોત્સાહન આપવા માટે આ વખતેની વસ્તી ગણતરી પણ ડિજિટલી એટલે કે મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે જે તદ્દન પેપરલેસ હશે. આ વસ્તીગણતરી માર્ચ 2021માં થશે અને 16 ભાષામાં કરાશે. આ એપમાં લોકોના પાન નંબર, વોટર કાર્ડ નંબર અને આધાર નંબર્સ નાખવામાં આવશે. આ દરમ્યાન લોકોના NPRના આંકડા પણ લેવામાં આવશે. 9થી 28 ફેબ્રુઆરી 2021 સુધી વસ્તી ગણતરી થશે. જે બાદ 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે જમા થયેલા ડેટાની પ્રોસેસિંગ થશે.

10 વર્ષે થાય છે વસ્તીગણતરી
નોંધનીય છે કે કોઈ દેશ અથવા કોઈપણ ક્ષેત્રમાં લોકો વિશે વિધિવત રૂપે સૂચના પ્રાપ્ત કરવી અને તેને રેકોર્ડ કરવી વસ્તી ગણતરી કહેવાય છે. આ હરેક 10 વર્ષે કરાય છે અને શાસકીય આદેશ સુધી કરાય છે. વસ્તી ગણતરીમાં માત્ર લોકોની ગણતરી નથી કરાતી બલકે આના દ્વારા લોકોના આર્થિક હાલાત, સ્વાસ્થ્યની સ્થિતિ, શિક્ષણની સ્થિતિ, ઘર, રોજગાર જેવી વાતોનું અધ્યયન કરાય છે. એટલું જ નહિ વસ્તી ગણતરી દ્વારા જન્મદર, મૃત્યુદર, ભાષા, ધર્મ, જાતિ, પલાયન જેવી વાતોની જાણકારી એકઠી કરવામાં આવે છે.

ડેટા પ્રોસેસિંગ સેંટર
વસ્તી ગણતરીના આધારે સરકાર દેશ માટે પ્લાન તૈયાર કરે છે કે ક્યાં અને કેવી ચીજોની ભરપાઈ કરવાની છે. હોમ મિનિસ્ટ્રી જ આ વસ્તી ગણતરીની પ્રક્રિયાને અંજામ આપે છે. આના માટે લોકોને કેટલાક સવાલ પૂછવામાં આવે છે, જેને કાગળ પર લખવામાં આવે છે, જેમાં નામ, લિંગ, ધર્મ, જાતિ, રોજગાર જેવા સવાલો હોય છે. આ આ ફોર્મને એક ટીમના સભ્યો ઘરે ઘરે લઈ જઈને લોકો પાસે ભરાવતા હોય છે જે બાદ બધા ડેટાને પ્રોસેસિંગ સેંટરે લઈ જઈ કોમ્પ્યૂટરાઈઝ્ડ ટેક્સ્ટમાં બદલવામાં આવે છે.

વસ્તી ગણતરી માટે એપનો ઉપયોગ
પરંતુ આ વખતે આ બધું નહિ થાય બલકે આ વખતે એક એપના માધ્યમથી વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં એક સવાલ પૂછવામાં આવશે કે શું તમારી પાસે ઈન્ટરનેટનો એક્સેસ છે કે નહિ. આ એપમાં 34 સવાલ પૂછવામાં આવી શકે છે, આ સમગ્ર પ્રોસેસને 33 લાખ કર્મચારીઓ અંજામ આપશે. જેમાં લોકોના સામાજિક- આર્થિક ડેટા પણ સામેલ હશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં 11 સપ્ટેમ્બર 2020થી જ પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી કેમ કે અહીં હિમવર્ષાના કારણે બધાં કામ કરવામાં મુશ્કેલ થઈ જાય છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
