NRCમાં હિન્દુઓનું નામ ન હોવા પર દેશ છોડવો પડશે કે નહિ? જાણો શું બોલ્યા મોહન ભાગવત
NRCમાં હિન્દુઓનું નામ ન હોવા પર દેશ છોડવો પડશે કે નહિ? જાણો શું બોલ્યા મોહન ભાગવત
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નેશનલ રજિસ્ટર ફૉર સિટીઝનને લઈ એક મહત્વની વાત કહી છે. તેમણે કહ્યું કે જે હિન્દુઓનું આ રજિસ્ટરમાંથી નામ ગાયબ છે, તેમણે દેશ છોડીને જવાની ચિંતા કરવાની જરૂરત નથી. તેમણે આવા હિન્દુઓને ભરોસો અપાવ્યો કે લિસ્ટમાં નામ ન હોવાનો એ મતલબ નથી કે તેમણે દેશ છોડીને જવું પડશે. જણાવી દઈએ કે એનઆરસીની ફાઈનલ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ નાખવામાં નથી આવ્યાં, જેમાંથી મોટાભાગના બંગાળી હિન્દુ છે. સાથે જ સંઘ સંસદના શિયાળુ સત્રમાં સિટીઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલ લાવવા પર પણ જોર આપી રહ્યું છે, જેથી પડોસી દેશથી આવતા બિન-મુસ્લિમોને આસાનીથી ભારતીય નાગરિકતા મળી શકે.

કોઈ હિન્દુએ દેશ છોડવાની જરૂરત નથીઃ આરએસએસ
સંઘના પદાધિકારિઓ મુજબ રવિવારે કોલકાતામાં થયેલ સંઘની એક આંતરિક બેઠકમાં આરએસએસ પ્રમુખે એનઆરસી લિસ્ટથી ગાયબ હિન્દુઓના મનમાં ઉઠી રહેલ સવાલોનો જવાબ સ્પષ્ટ કર્યો કે જો કોઈ હિન્દુનું નામ નેશનલ રજિસ્ટર ફૉર સિટીઝનમાં નથી તો તેમણે દેશ છોડીને જવાની જરૂરત નથી. સંઘે પોતાના સ્વયં સેવકોને પણ કહ્યું કે તેઓ આવા હિન્દુઓના મનમાંથી ડર દૂર કરે, જેમના નામ એનઆરસીમાં નથી. જણાવી દઈએ કે ગત 31 ઓગસ્ટે આસામમાં જાહેર એનઆરસીની ફાઈનલ લિસ્ટમાં જે હિન્દુઓના નામ નથી તેમને પણ એકને એક દિસે દેશ છોડીને જવું પડી શકે છે તે અંગે ચિંતા સતાવી રહી હતી. જણાવી દઈએ કે એનઆરસીની ફાઈનલ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ નથી, જેમાંથી મોટાભાગના બંગાળી હિન્દુ છે. સંઘના એક પદાધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં રાજસ્થઆનના પુષ્કરમાં થયેલ સંઘની એક બેઠકમાં પણ એનઆરસીથી બહાર રાખવામાં આવેલ હિન્દુઓનો મુદ્દો ઉઠ્યો હતો. આ દરમિયાન ભાજપના મહાસચિવ રામ માધવે એક પ્રેજેન્ટેશન પણ આપ્યું હતું.

નાગરિકતા કાનૂન લાવવા પર જોર
જણાવી દઈએ કે આરએસએસ બિન-કાનૂની અપ્રવાસિયોનો દેશથી બહાર કરવાની માંગ કરતું રહ્યું છે. પરંતુ આની સાથે જ તે નાગરિકતા (સંશોધન) કાનૂન અથવા સીએબીને લાવવા પર પણ જોર આપતું રહ્યું છે. આ બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા સહેલી બનાવવાનું પ્રાવધાન છે. સંઘ આ વાની વકાલત કરતું રહ્યું કે આવા દેશમાં અત્યાચારનો શિકાર થયેલ હિન્દુઓને ભારતીય નાગરિકતા મળવી જોઈએ, કેમ કે આ સમુદાય માટે ભારત એકમાત્ર ઠેકાણું છે. સંઘના એક અધિકારીએ નામ ન બતાવવાની શરતે કહ્યું કે સંઘનું માનવું છે કે ભાજપ સરકારે સંસદના આગામી શિયાળુ સત્રમાં સીએબી રજૂ રવું જોઈએ.

બંગાળમાં એનઆરસી લાગૂ નહિ થવા દઉંઃ મમતા
જણાવી દઈએ કે એનઆરસીનો મુદ્દો પશ્ચિમ બંગાળમાં ભાજપ અને સત્તાધારી ટીએમસી વચ્ચે વિવાદનો વિષય છે. સોમવારે જ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જોર આપીને કહ્યું કે તેમની સરકાર પ્રદેશમાં ક્યારેય પણ એનઆરસી લાગૂ નહિ થવા દે. એક ટ્રેડ યૂનિયનની બેઠકને સંબોધિત કરતા તેઓ બોલ્યાં કે, 'મને દુખ થયું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સના કારણે પેદા થયેલ ડરથી બંગાળમાં 6 લોકોનાં મોત થયાં. અહીં એનઆરસીની હું ક્યારેય મંજૂરી નહિ આપું. કૃપ્યા મારા પર ભરોસો રાખો. '
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
