Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tirupati laddu : તિરૂપતિના પ્રસાદમાં ગાયની ચરબી હોવાનો દાવો, જાણો કેવી રીતે ખુલાસો થયો

Tirupati Laddu Controversy : જગ વિખ્યાત તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગાયની ચરબી મળી હોવાના દાવાએ રાજનીતિ ગરમ કરી દીધી છે.

તિરુપતિ લાડુમાં ગાય અને ડુક્કરની ચરબી તેમજ માછલીનું તેલ હોવાની પુષ્ટિ થઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ YSR જગન મોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન આવી ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. હવે એક ખાનગી લેબોરેટરીએ આ દાવાઓને સમર્થન આપ્યું છે.

tirupati laddu controversy

રિપોર્ટ અનુસાર, એક ખાનગી લેબોરેટરી NDDB CALF દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તિરુપતિ લાડુ બનાવવા માટે વપરાતા ઘીના સેમ્પલમાં પામ ઓઈલ, ફિશ ઓઈલ, બીફ ફેટ અને લાર્ડ મળી આવ્યું છે. આ લેબ પશુ આહાર, દૂધ અને દૂધની બનાવટોના પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ આંધ્રપ્રદેશના આઈટી મંત્રી નારા લોકેશે પણ આ મુદ્દે અગાઉની જગન મોહન રેડ્ડી સરકારને ઘેરી છે.

તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું કે, તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામીનું મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આઘાત લાગ્યો છે કે વાયએસ જગન મોહન રેડ્ડી પ્રશાસને તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કર્યો.

જો કે, YSRCPએ નાયડુના આરોપોને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા અને કહ્યું કે TDP વડાએ હલકા સ્તરની રાજનીતિનો આશરો લીધો છે. પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્બા રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાની ટિપ્પણીથી પવિત્ર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X