TMC નેતા સાકેત ગોખલેની ધરપકડ, PM મોદીને બદનામ કરવાનો આરોપ
તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારના રોજ રાજસ્થાન જયપુર એરપોર્ટથી સાકેત ગોખલેની ધરપકડ કરાઇ છે.
તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારના રોજ રાજસ્થાન જયપુર એરપોર્ટથી સાકેત ગોખલેની ધરપકડ કરાઇ છે.

ભારતીય જનતા પાર્ટી પર રાજકીય પ્રતિશોધનો આરોપ લગાવતા તૃણમુલ કોંગ્રેસના દાવા કરવામાં આવ્યો છે કે, તેમના પ્રવક્તા સાકેત ગોખલેને ગુજરાત પોલીસ દ્વારા મોરબી પુલ પડવાની ઘટના અંગે ટ્વીટ કરવાના મામલે ધડપકડ કરવામાં આવી છે.
જોકે, TMC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, આ ટ્વીટ ક્યું હતું. મીડિયા રિપોર્ટના જણાવ્યું હતું કે, સાકેત ગોખલે પર મોરબી પુલ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીને બદનામ કરવાનો પ્રયત્નો કરવાનો આરોપ લગાવ્યો છે.
TMC પાર્ટીએ ટ્વીટનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ PIB ફેક્ટ ચેક દ્વારા આ ટ્વીટની હકીકત તપાસી હતી. આ ટ્વીટમાં ગોખલેનું ટ્વીટ બતાવવામાં આવ્યું હતું, જેમાં તેનો ઉપયોગ ન્યૂઝ પેપરના સ્ક્રીનશોટ તરીકે કરવામાં આવ્યો હતો.
ગોખલેએ પોતાના ટ્વીટમાં દાવો કર્યો હતો કે, PM મોદીએ મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ જ ટ્વીટની હકીકત તપાસતી વખતે PIBએ લખ્યું હતું કે, RTI દ્વારા જાણવા મળ્યું છે કે, PMની મોરબીની મુલાકાત પર રૂપિયા 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો નથી.
Quoting an RTI, It is being claimed in a tweet that PM’s visit to Morbi cost ₹30 cr.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) December 1, 2022
▪️ This claim is #Fake.
▪️ No such RTI response has been given. pic.twitter.com/CEVgvWgGTv
TMC ના નેતા ડેરેક ઓ બ્રાયને માહિતી આપી છે કે, સાકેત ગોખલે સોમવારની રાત્રે 9 કલાકે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યા હતા. સાકેત ગોખલે જયપુર એરપોર્ટ પર ઉતર્યા કે, તરત જ ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પછી રાત્રે 2 કલાકે, પોલીસે તેને તેની માતાને ફોન કરીને તેની ધરપકડ વિશે જાણ કરવા જણાવ્યું હતું. સાકેત ગોખલેએ પણ તે સમયે જણાવ્યું હતું કે, તેને જયપુરથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
