TMC સાંસદોએ રાષ્ટ્રપતિને મોકલ્યુ મેમોરેન્ડમ, બંગાળના રાજ્યપાલને હટાવવાની માંગ
ટીએમસી નેતાઓએ રાષ્ટ્રપતિને બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને તરત જ હટાવવાની માંગ કરી છે.
West Bengal Hindi News: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ઘણી વાર રાજ્યની કાયદો વ્યવસ્થા સહિત તમામ વસ્તુ માટે સરકાર પર નિશાન સાધતા રહે છે જેના પર સીએમ મમતા બેનર્જી પણ પલટવાર કરે છે. રાજ્યપાલ અને બંગાળ સરકાર વચ્ચે મતભેદનો આ મામલો હવે રાષ્ટ્રપતિ પાસે પહોંચી ગયો છે. સાથે જ ટીએમસી નેતાઓએ રાષ્ટ્રપતિને બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને તરત જ હટાવવાની માંગ કરી છે. આ સાથે જ તેમના પર ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા છે.

Recommended Video

તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સાંસદ સુખેન્દુ શેખર રેએ રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ મોકલ્યુ છે. આ મેમોરેન્ડમમાં તેમણે કહ્યુ કે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ બંધારણની રક્ષા, સંરક્ષણમાં નિષ્ફળ રહ્યા છે. આ ઉપરાંત તે વારંવાર સુપ્રીમ કોર્ટના આદેશનુ ઉલ્લંગન પણ કરે છે. માટે તેમને તત્કાલ પ્રભાવથી હટાવીને નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવે. આ મેમોરેન્ડમ પર ટીએમસી સાંસદ સુખેન્દુ, સુદીપ બંદોપાધ્યાય, સાંસદ ડેરેક ઓ બ્રાયન, સાંસદ કલ્યાણ બેનર્જી અને સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના હસ્તાક્ષર પણ છે.
વાસ્તવમાં બંગાળ પોલિસે ઘણા ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓ પર હાલના દિવસોમાં કાર્યવાહી કરી હતી. જેના પર રાજ્યપાલે કહ્યુ કે મમતા બેનર્જી અને પોલિસ ચીફે રાજ્યમમાં લોકતંત્રી હત્યા કરી છે. પોલિસ અધિનિયમ અને બંધારણીય જોગવાઈઓનુ ઘોર ઉલ્લંઘન પોલિસ અને પ્રશાસનના રાજકીય વલણને સાબિત કરે છે. જેના પર પલટવાર કરીને સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યુ હતુ કે સામાન્ય રીતે તમને(રાજ્યપાલ) નજરઅંદાજ કરી દઉ છુ પરંતુ તમે પોતાની રેખા પાર કરી લીધી છે. બસ! તમે વધુ કંઈ નહિ પરંતુ તેમના ગુરુનો અવાજ છો. તમે એ કાર્યાલયનુ અપમાન કર્યુ છે જેના પર તમે હાજર છો. આધાર વિના ટીકા કરવી અને પોતાના રાજકીય આકાઓની સેવા કરવા માટે બંગાળનુ અપમાન કરવુ. બંગાળના આતિથ્યનો આનંદ લઈને તમે આવુ કરી રહ્યા છો, તમને શરમ આવવી જોઈએ.












Click it and Unblock the Notifications
