Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીને રોકવા માટે 2 બેઠકો પરથી ચૂંટણી લડશે મુલાયમ

નવી દિલ્હી, 16 માર્ચ: સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણીમાં બે સ્થળેથી મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રોનો દાવો છે કે મુલાયમ સિંહ યાદવ આઝમગઢ અને મૈનપુરીથી લોકસભા ચૂંટણીમાં ઉતરી શકે છે. આઝમ ગઢની બેઠક પૂર્વાંચલ વિસ્તારમાં છે. અને વારાણસીથી મોદની ઉમેદવારી બાદ વિસ્તારના રાજકીય સમીકરણ પર તેની અસર પડવી નિશ્ચિત માનવામાં આવી રહી છે.

આઝમગઢ વારાણસી અને ગોરખપુરની સાથે પૂર્વાંચલની રાજનીતિનું ગઢ માનવામાં આવે છે. સમાજવાદી પાર્ટીનું માનવું છે કે મુલાયમ જ્યારે આઝમગઢથી ચૂંટણી લડશે તો તેનાથી લઘુમતીઓમાં મજબૂત સંદેશ જશે. અને તેનાથી વોટોનું ધ્રુવીકરણ પણ થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પૂર્વાંચલમાં મોદીની અસરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

mulayam singh yadav
આઝમગઢ ઉપરાંત મેનપુરીથી મુલાયમ ઉતરી શકે છે. મેનપુરી સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમની પરંપરાગત બેઠક છે અને તે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આવે છે. બંને બેઠકો સમાજવાદી પાર્ટીનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ બંને બેઠકોથી ઉમેદવારી બાદ મુલાયમ પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની અસર બતાવવાની કોશીશ કરશે.

અત્રે નોંધનીય છે કે વારાણસી બેઠક પરથી મોદીની ઉમેદવારી જાહેર થતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ મોદીને પડકારવા માટે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. જોકે મોદીના પ્રવાહને જોતા એવું લાગતું નથી કે મોદીને વારાણસીથી કોઇ નેતા હરાવી શકે. જોકે એતો ચૂંટણી પરિણામો જ નક્કી કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X