મોદીને રોકવા માટે 2 બેઠકો પરથી ચૂંટણી લડશે મુલાયમ
નવી દિલ્હી, 16 માર્ચ: સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણીમાં બે સ્થળેથી મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રોનો દાવો છે કે મુલાયમ સિંહ યાદવ આઝમગઢ અને મૈનપુરીથી લોકસભા ચૂંટણીમાં ઉતરી શકે છે. આઝમ ગઢની બેઠક પૂર્વાંચલ વિસ્તારમાં છે. અને વારાણસીથી મોદની ઉમેદવારી બાદ વિસ્તારના રાજકીય સમીકરણ પર તેની અસર પડવી નિશ્ચિત માનવામાં આવી રહી છે.
આઝમગઢ વારાણસી અને ગોરખપુરની સાથે પૂર્વાંચલની રાજનીતિનું ગઢ માનવામાં આવે છે. સમાજવાદી પાર્ટીનું માનવું છે કે મુલાયમ જ્યારે આઝમગઢથી ચૂંટણી લડશે તો તેનાથી લઘુમતીઓમાં મજબૂત સંદેશ જશે. અને તેનાથી વોટોનું ધ્રુવીકરણ પણ થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પૂર્વાંચલમાં મોદીની અસરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

અત્રે નોંધનીય છે કે વારાણસી બેઠક પરથી મોદીની ઉમેદવારી જાહેર થતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ મોદીને પડકારવા માટે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. જોકે મોદીના પ્રવાહને જોતા એવું લાગતું નથી કે મોદીને વારાણસીથી કોઇ નેતા હરાવી શકે. જોકે એતો ચૂંટણી પરિણામો જ નક્કી કરશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
