Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આજે સંજય દત્તે ક્યાં શરણે થવું તે કોર્ટ નક્કી કરશે

sanjay-dutt
મુંબઇ, 15 મે : આજે કેર્ટ સંજય દત્તની મુંબઈની આર્થર રોડ જેલ અથવા પુણેની યરવડા જેલમાં શરણે થવાની અરજી પર નિર્ણય કરશે. કોર્ટ નક્કી કરશે કે સંજય દત્તે ક્યાં શરણે થવું. વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટ્સ કેસમાં સ્પેશિયલ ‘ટાડા' કોર્ટમાં શરણે આવી જવામાં એક્ટર સંજય દત્તને સુપ્રીમ કોર્ટે આપેલી ચાર અઠવાડિયાની મુદત આજે પૂરી થાય છે, પણ સંજય ટાડા કોર્ટમાં શરણે જશે કે કેમ એ વિશે શંકા છે, કારણ કે એણે મુંબઈની આર્થર રોડ જેલ અથવા પુણેની યરવડા જેલમાં શરણે જવાની કોર્ટમાં અરજી કરી છે.

સંજયની શરણે થઈ જવા માટેની તારીખ 16 મે, 2013 છે. 1993ના બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં અપરાધી જાહેર કરાયેલા સંજય દત્તે અહીં ‘ટાડા' કોર્ટને વિનંતી કરી છે કે પોતાને તેની સમક્ષ શરણે આવવાને બદલે બદલે પુણેની યરવડા જેલમાં સરેન્ડર કરવાની મંજૂરી આપે.

સંજયે ટાડા કોર્ટને એમ કહ્યું છે કે તેને અમુક કટ્ટરવાદી જૂથો તરફથી પોતાના જાન પર ખતરો જણાય છે. તેથી એ કોર્ટને બદલે જેલમાં શરણે જવાનું પસંદ કરે છે. સંજયની અરજીની સુનાવણી કરનાર જજ જી.એ. સનપે તપાસ એજન્સી સીબીઆઈને જવાબ આપવા કહ્યું છે અને સુનાવણી બુધવાર પર મુલતવી રાખી હતી.

સરેન્ડર થવા માટે વધારે સમય આપવા સંજયની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ સંજયે ટાડા કોર્ટમાં અરજી નોંધાવી હતી. 1993ના મુંબઈ બ્લાસ્ટ્સ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ સંજયને પાંચ વર્ષની જેલની સજા કરાઈ છે. તે 18 મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે અને હવે બાકીના 42 મહિના તેણે વિતાવવાના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X