સમયનું ચક્ર: જાણો ઈતિહાસમાં 17 માર્ચના દિવસે શું બન્યું હતું
સમયનું ચક્ર: જાણો ઈતિહાસમાં 17 માર્ચના દિવસે શું બન્યું હતું
મિત્રો આજથી અમે સમયનું ચક્ર સીરિઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સીરિઝમાં દરરોજ જે-તે દિવસે બનેલી ઐતિહાસિક ઘટનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવશે. ઈતિહાસ એક એવો વિષય છે જેમાં કેટલીય રસપ્રદ કહાનીઓ છૂપાયેલી છે, કેટલાય રોમાંચક યુદ્ધોની વિગતો હજી પણ આપણી સામે આવી નથી, કેટલાય એવાં રહસ્યો છૂપાયેલાં છે જે તમારી સામે રાખવા માટે અમે તત્પર છીએ. તો આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમે આવો જોડાઓ અમારા સમયના ચક્રમાં...

દલાઈ લામા તિબેટથી ભારત પહોંચ્યા
17 માર્ચ 1959માં તિબેટે દલાઈ લામાનો બહિષ્કાર કરી દીધો હતો અને તેમને દેશ નિકાલો આપ્યો હતો, અને બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા તિબેટથી આજના દિવસે જ ભારત પહોંચ્યા હતા. બાદમાં તેમણે ધર્મશાળામાં તિબ્બતી સરકારનું ગઠન કર્યું. 1989માં શાંતિપૂર્ણ પ્રયાસો માટે તેમને નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.1 4મા દલાઈ લામા તેનજિન ગ્યાત્સો તિબેટના રાષ્ટ્રાધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ છે. તેમનો જન્મ 6 જુલાઈ 1935ના રોજ ઉત્તર પૂર્વી તિબેટના તાકસ્તર ક્ષેત્રમાં રહેતા એઓમાન પરિવારમાં થયો હતો.

અંતરિક્ષમાં જનાર પહેલી ભારતીય મહિલાનો જન્મ
17 માર્ચ 1962માં ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાનો જન્મ થયો હતો. કલ્પના ચાવલા અંતરિક્ષ શટલ મિશન વિશેષજ્ઞ પણ હતા અને અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા પણ હતાં. કોલંબિયા અવકાશયાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 7 યાત્રીઓમાં એક કલ્પના ચાવલા પણ હતાં. મરણોપરાંત કલ્પના ચાવલાને કોંગ્રેશનલ અંતરિક્ષ પદક સન્માન, નાસા અંતરિક્ષ ઉડાણ પદક અને નાસા વિશિષ્ટ સેવા પદક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અગાઉ કલ્પના ચાવલાએ 1988ના અંતમાં નાસાના એમ્સ અનુસંધાન કેન્દ્ર માટે ઓવેર્સેટ મેથડ્સ ઈંકના ઉપાધ્યક્ષ તરીકે કામ શરૂ કર્યું અને ત્યાં તેમણે વી/એસટીઓએલમાં સીએસડી પર અનુસંધાન કર્યું. અંતરિક્ષમાં પહોંચનાર પહેલા ભારતીય મહિલા કલ્પના ચાવલાની બીજી અંતરિક્ષ યાત્રા જ તેમની અંતિમ અંતરિક્ષ યાત્રા સાબિત થઈ.

17 માર્ચના ઈતિહાસમાં બનેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1527 આગરાના યુદ્ધમાં બાબરથી ચિતૌડગઢના રાણા સંગ્રામ સિંહ પ્રથમ પરાજિત થયા.
- 1672 નેધરલેંડ વિરુદ્ધ ઈંગ્લેન્ડે યુદ્ધની ઘોષણા કરી.
- 1782 ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મરાઠા શાસકો વચ્ચે સલ્બાઈની સમજૂતી થઈ.
- 1845 લંડનના સ્ટીફન પેરીએ રબર બેન્ડની પેટન્ટ કરાવી.
- 1906 તાઈવાનમાં આવેલા ભૂકંપે 1000 લોકોના જીવ લીધા.
- 1920 બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ શેખ મુજીબ-ઉર-રહમાનનો જન્મ
- 1922 અમેરિકી દાર્શકનિક પૈટ્રિક સપ્પસનો જન્મ થયો
- 1942 અમેરિકામાં રાષ્ટ્રપતિ ફ્રેંકલિન ડી રૂજવલેટ દ્વારા દુનિયામાં કળાના શ્રેષ્ઠ સંગ્રહોમાંથી એક નેશનલ ગેલેરી ઑફ આર્ટ ખોલ્યું.
- 1946 મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ.
- ફિલીપીનના રાષ્ટ્રપતિ રૈમન મૈગ્સાયનું હવાઈ દુર્ઘટનામાં નિધન થયું.
- 1959 બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામા તિબેટથી ભારત પહોંચ્યા.
- 1962 ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાનો જન્મ થયો.
- 1963 બાલી દ્વીપ પર જ્વાળામૂખી ફાટવાથી 2000 લોકોના જીવ ગયા
- 1969 ગોલ્ડા મેયર ઈજરાઈલની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બની
- 1987 આઈબીએમે પીસી-ડીઓએસ 3.3 વર્જન જાહેર કર્યું.
- 1987 ભારતીય ક્રકેટર સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો.
- 1990 બેટમિંટન પ્લેયર સાયના નેહવાલનો જન્મ થયો.
- 1992 અર્જેન્ટીનામાં આવેલ ઈજરાયલી દૂતાવસ પર થયેલા હુમલામાં 30 લોકોનાં મોત
- 1996 શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં સાત વિકેટથી હરાવી ખિતાબ જીત્યો.
- 2016 મશહૂર જાદૂગર પૉલ ડેનિયલનું નિધન.












Click it and Unblock the Notifications
