Toll Tax: ટોલ ટેક્સમાં લોકસભા ચૂંટણી સુધી કોઈ વધારો નહિ, ઈલેક્શન કમિશને આ કારણે લગાવી રોક
Toll Tax: ચૂંટણી પંચે હાલમાં 2024 માટે નવા ટોલ રેટના અમલીકરણ પર રોક લગાવી દીધી છે. ECIએ NHAIને જાહેર કરેલી સૂચનામાં કહ્યું છે કે નવા દરો લોકસભા ચૂંટણી પછી જ લાગુ થવા જોઈએ.
દેશમાં 18મી લોકસભા ચૂંટણી માટે કુલ સાત તબક્કામાં મતદાન થવાનુ છે. ચૂંટણી પંચે 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન કરવાનું નક્કી કર્યું છે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચનું સમગ્ર ધ્યાન મતદાનની તૈયારીઓ પર છે.

1 એપ્રિલે, દેશભરના મોટાભાગના ટોલ હાઇવે અને એક્સપ્રેસ વે પર પાંચ ટકાની મર્યાદામાં ટોલ ટેક્સ વધારવાનો હતો, જેના પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ ચૂંટણી પંચને ટાંકીને જણાવ્યું છે કે ચૂંટણી પંચે NHAIને ટોલ ફી વધારાને મોકૂફ રાખવા કહ્યું છે. આ સંબંધમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીના સંદેશાવ્યવહારના જવાબમાં ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.
અગાઉ, હાઇવે ડેવલપર્સ સંગઠન નેશનલ હાઇવે બિલ્ડર્સ ફેડરેશન (NHBF) એ રવિવારે NHAI ને એક પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ડિરેક્ટરોએ 29 માર્ચ, 2024ના રોજ સુધારેલ ટોલ/ફી પ્રકાશિત ન કરવા વિશે જાણ કરી હતી. સ્થાનિક અખબારો અનુસાર, ટોલ દર 1 એપ્રિલ, 2024થી લાગુ થવાના હતા. પરંતુ હવે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સુધી તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
