ગડકરીથી નારાજ છે ભાજપના વરિષ્ઠ નેતાઓ: રામ જેઠમલાની
જેઠમલાનીએ મંગળવારે કહ્યું કે ભાજપના ઘણા ટોચના નેતા ગડકરીને પુનઃ અધ્યક્ષ પદે રાખવામાં આવતા ખુશ થયા નથી. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓ જેમ કે જસવંત સિંહ, યશવંત સિન્હા અને શત્રુગ્ન સિન્હા પણ ગડકરીનો વિરોધ કરી રહ્યાં છે.
ગડકરીએ સ્વામી વિવેકાનંદની સરખામણી અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે કર્યા બાદ સોમવારે મહેશ જેઠમલાનીએ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ભાજપના અધ્યક્ષ ગડકરી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યાં છે, પાર્ટીના ઘણા સભ્યો એ વાતને લઇને ખુશ નથી કે તેઓ હજુ સુધી પોતાના પદ પર યથાવત છે. જેઠમલાનીએ કહ્યું હતું કે ગડકરી વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેના કારણે ભાજપનું ભ્રષ્ટાચાર સામેનું અભિયાન મુશ્કેલીમાં મુકાયું છે. ગડકરીને અધ્યક્ષ તરીકેની બીજી ટર્મ આપવી જોઇએ નહીં. નોંઘનીય છે કે ભાજપમાં જે રીતે તેમનો વિરોધ થઇ રહ્યો છે તેનાથી બની શકે કે ગડકરી પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.