રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં ન પહોંચ્યા આ દિગ્ગજ નેતા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીની તાજ હોટલમાં ઈફ્તાર પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થયા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીની તાજ હોટલમાં ઈફ્તાર પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થયા. આ ઈફ્તાર પાર્ટી માટે કોંગ્રેસે 18 રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યુ હતુ. આમાં ઘણા હાજર રહ્યા તો ઘણા નેતાઓ આનાથી દૂર રહ્યા. જેના કારણે રાજકીય ગલીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ ઈફ્તાર પાર્ટીમાં શામેલ નહિ થનારા નેતાઓ અંગે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

ત્રીજા મોરચાની કવાયતમાં જોડાયેલ નેતાઓ ઈફ્તાર પાર્ટીમાં ગેરહાજર
રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, રાજદ નેતા તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બસપા સુપ્રિમો માયાવતી અને આરએલડીના અજીત સિંહ પણ શામેલ ન થયા. બસપા તરફથી માયાવતીએ રાજ્યસભા સાંસદ સતીષ મિશ્રાને મોકલ્યા હતા. આરજેડી નેતા તેજસ્વી યાદવે પટનામાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ હતુ એટલા માટે તે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં શામેલ થયા નહિ.

મમતા-અખિલેશ-માયાવતીએ જાળવ્યુ અંતર
સોનિયા ગાંધી પોતે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં શામેલ ન થયા. સમાચારો અનુસાર વિદેશમાં હોવાના કારણે તે ઈફ્તાર પાર્ટીમાં ભાગ ન લઈ શક્યા. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સના નેતા જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ઈફ્તાર પાર્ટીમાં શામેલ ન થઈ શક્યા. કોંગ્રેસ અધ્યક્ષ રહેવા દરમિયાન સોનિયા ગાંધીએ 2015 માં ઈફ્તારનુ આયોજન કર્યુ હતુ.

અપેક્ષા મુજબ બધા વિપક્ષના નેતા ન પહોંચ્યા
ઈફ્તાર પાર્ટીથી પહેલા વિવિધ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે આનાથી વિપક્ષી એકતા મજબૂત થશે. પરંતુ, અપેક્ષા મુજબ બધા વિપક્ષના નેતા ન પહોંચ્યા. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ પદ પર હોવા દરમિયાન સોનિયા ગાંધીએ 2015 માં ઈફ્તાર પાર્ટી આપી હતી. ત્રીજા મોરચાની કવાયતમાં જોતરાયેલા નેતાઓનું પાર્ટીમાં ગેરહાજર રહેવુ રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં







Click it and Unblock the Notifications
