યુપીમાં ભારે વરસાદથી ભયંકર તબાહી, 72 કલાકમાં 65 લોકોની મૌત
ફરી એકવાર ભારે વરસાદે ઉત્તરપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. છેલ્લા 72 કલાકમાં તોફાનને કારણે પ્રદેશના 39 જિલ્લાઓમાં 65 લોકોની મૌત થઇ ચુકી છે.
ફરી એકવાર ભારે વરસાદે ઉત્તરપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. છેલ્લા 72 કલાકમાં તોફાનને કારણે પ્રદેશના 39 જિલ્લાઓમાં 65 લોકોની મૌત થઇ ચુકી છે. જયારે 57 લોકો ઘાયલ થયા છે. તેની સાથે સાથે ઘણી આર્થિક નુકશાન પણ થયું છે.
રાજ્ય આપદા રિપોર્ટ અનુસાર સૌથી વધારે તબાહી તોફાનને કારણે યુપીના સહરાનપુરમાં થયી છે, જ્યાં 11 લોકોની મૌત થઇ ચુકી છે.
Total 65 people died in 39 districts of #UttarPradesh due to heavy rainfall and lightning between till yesterday. Maximum deaths (11 people) occurred in Saharanpur, 57 people injured. pic.twitter.com/pC9qEiE6wF
— ANI UP (@ANINewsUP) July 29, 2018
તોફાનને કારણે આગ્રામાં 6, મેરઠ-મેનપુરીમાં 4 લોકોની મૌત અને મુઝફ્ફરનગર-કાસગંજમાં 3-3 લોકોની મૌત થયી છે. મુઝફ્ફરનગરમાં એક માતા અને તેના એક દીકરાની મૌત થઇ ચુકી છે. જયારે ત્રણ બાળકો સહીત ચાર લોકો ઘાયલ થયા છે.
Muzaffarnagar: A son & a mother died after a roof of a house collapsed in the early morning hours,in Mansurpur,Kotwali region following heavy rainfall.Bodies have been sent for postmortem.Father & 3 children injured in the incident have been taken to Muzaffarnagar Medical College
— ANI UP (@ANINewsUP) July 29, 2018
ભારે વરસાદનું એલર્ટ જાહેર
હવામાન વિભાગના એલર્ટ અનુસાર આવનારા ચાર દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. અહીંના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે આ 11 જિલ્લાઓ ફેઝાબાદ, બસ્તી, ગોરખપુર, સંત કબીરનગર, અલ્હાબાદ, સંત કબીરદાસ નગર, આગ્રા, મથુરા, બુલંદશહર અને ફારુખાબાદ છે. વહીવટીતંત્રે લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે.