For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: પુલવામાંના ત્રાલમાં બે આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં હાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્રાલ દક્ષિણ કાશ્મીરના પુલવામાંમાં આવે છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં હાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્રાલ દક્ષિણ કાશ્મીરના પુલવામાંમાં આવે છે. આ એન્કાઉન્ટરમાં અત્યારસુધીમાં બે આતંકીઓ માર્યા ગયાની ખબર આવી રહી છે. આ એન્કાઉન્ટર સોમવાર મોડી રાત્રથી ચાલી રહ્યું છે. આતંકીઓ એક ઘરમાં સંતાયા હતા જણાવવામાં આવી રહ્યું છે કે હજુ સુધી એક આતંકી ઘરની અંદર છે. એન્કાઉન્ટર ત્યારે શરુ થયું જયારે ત્રાલના મીર મોહલ્લામાં સેનાને એક ઘરમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી.

Jammu and Kashmir

આતંકીઓનો સફાયો કરવાના ઉદેશ સાથે સેના અને સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો. ત્યારપછી આતંકીઓ તરફથી સુરક્ષાબળો પર ફાયરિંગ કરવામાં આવી અને એન્કાઉન્ટર શરુ થઇ ગયું. આ એન્કાઉન્ટર પહેલા કુપવાડામાં ત્રણ દિવસો સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું. આ એન્કાઉન્ટરમાં પાંચ જવાનો શહીદ થયા હતા, જેમાંથી ત્રણ સીઆરપીએફ અને બે જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો હતા. એન્કાઉન્ટરમાં બે આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા. સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલીયા ઘ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે એન્કાઉન્ટર પૂરું થયા પછી પણ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.

આ પણ વાંચો: ભારતીય સીમમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોનને વાયુસેનાએ તોડી પાડ્યું

English summary
Two terrorists killed in the ongoing encounter between security forces and terrorists in Tral in Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X