Tripura Bypoll Results : ઘમંડી ગઠબંધનનું ઘમડ તુટ્યુ-સંબિત પાત્રા
દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીને માત્ર ત્રણ સીટો મળતી જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા મહત્વની મનાતી આ ચૂંટણીમાં બીજેપી ત્રિપુરાની બે સીટો પર જીતીને ખુશ દેખાઈ રહી છે.
બીજેપીએ ત્રિપુરાની ધનપુર અને બોક્સાનગર સીટો પર જીત મેળવી છે. બોક્સાનગર સીટ પર બીજેપીના મુસ્લિમ ઉમેદવાર તફઝલ હુસૈન 30 હજાર વોટથી જીત્યા છે અને ધાનપુરમાં બીજેપીના બિંદુ દેબનાથ સીપીઆઈ (એમ)ના ઉમેદવાર કૌશિકને હરાવીને વિજેતા બન્યા છે.

આ જીત બાદ બીજેપી પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન પર પ્રહારો કર્યા છે. સંબિત પાત્રાએ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
સંબિત પાત્રાએ લખ્યુ કે,ત્રિપુરા પેટાચૂંટણીમાં અહંકારી ગઠબંધનનો માત્ર અહંકાર નથી તુટ્યુો પરંતુ તે તેમની ક્રૂર હાર પણ છે. જનતાએ તેમનું જોડાણ છેતરપિંડી સાબિત કર્યું છે. બોક્સનગર અને ધાનપુર બેઠકો પર સંયુક્ત ઉમેદવારો લડ્યા હોવા છતાં લઘુમતી પ્રભુત્વ ધરાવતી અને ઘમંડી ગઠબંધન બંને ભાજપની આ જીત વડા પ્રધાન શ્રી @narendramodi જીના મજબૂત અને સર્વવ્યાપી સ્વીકૃત નેતૃત્વને કારણે છે. તેમનો સબકા સાથ, સબકા વિકાસના મૂળ મંત્રને પરિપૂર્ણ કરે છે.
આ બે સીટો પર પેટાચૂંટણી માટે 5 સપ્ટેમ્બરે મતદાન યોજાયુ હતું. જેના પરિણામો આજે આવી ગયા છે. આ બે સીટો પર મુકાબલો BJP vs CPI(M) હતો. ઈન્ડિયા ગઠબંધન પછી ટિપરા મોથા અને કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારો નહોતા ઉતાર્યા.
ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્યમાં ઘોસી સીટ પર હારવા જઈ રહેલી બીજેપી ત્રિપુરાની જીતથી ખુશ છે. આ જીત બાદ બીજેપી નેતા વિપક્ષ પર પ્રહાર કરી રહ્યા છે.
ત્રિપુરાની બોક્સાનગર વિધાનસભા સીટ પર સીપીઆઈ-Mની હાર તેના માટે એક ફટકો છે કારણ કે આ સીટ સીપીઆઈ-એમના ધારાસભ્ય શમશુલ હક પાસે હતી, જેમના અચાનક અવસાનથી આ સીટ ખાલી પડી હતી અને આ કારણોસર અહીં પેટાચૂંટણી યોજાઈ હતી.
જ્યારે ધાનપુર સીટ પેટાચૂંટણી એટલા માટે થઈ કારણ કે કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક આ બેઠક પરથી ધારાસભ્ય અને રાજીનામું આપી દીધું હતું.












Click it and Unblock the Notifications
