ટ્વીટરનો યુ ટર્ન, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટ્વીટર હેન્ડલનુ બ્લ્યુ ટીક હટાવી ફરી આપ્યુ
માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના સત્તાવાર પર્સનલ ટ્વિટર હેન્ડલની બ્લુ ટિક ફરીથી આપી દીધુ છે. શનિવારે (05 જૂન) સવારે 9 વાગ્યે ઉપરાષ્ટ્રપતિની ઓફિસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એમ.વેંક
માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના સત્તાવાર પર્સનલ ટ્વિટર હેન્ડલની બ્લુ ટિક ફરીથી આપી દીધુ છે. શનિવારે (05 જૂન) સવારે 9 વાગ્યે ઉપરાષ્ટ્રપતિની ઓફિસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એમ.વેંકૈયા નાયડુના સત્તાવાર પર્સનલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટર દ્વારા બ્લુ ટિક દૂર કરવામાં આવી છે. થોડા કલાકો પછી, ટ્વીટરે વેંકૈયા નાયડુનુ બ્લુ ટિક ફરીથી આપી એકાઉન્ટને વેરિફાઇડ કરી લીધું છે. શા માટે તેને ફરીથી આપવામાં આવ્યુ છે? ટ્વીટરના પ્રવક્તાએ વેંકૈયા નાયડુના અંગત ટ્વીટર હેન્ડલથી બ્લુ ટિકને દૂર કરવા અંગે એક સત્તાવાર નિવેદન આપ્યું છે. ટ્વિટરે સ્પષ્ટ કર્યું કે એકાઉન્ટ જુલાઈ 2020 થી નિષ્ક્રિય છે. અમારા ચકાસાયેલ નિયમો મુજબ જો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે, તો ટ્વીટર બ્લ્યુ ટિક્સ અને વેરિફાઇડ સ્ટેટસ હટાવી શકે છે.

ભારતના વાઇસ પ્રેસિડેન્ટ @VPSecretariatના ઓફીસિયલ એકાઉન્ટ હેન્ડલ પર 9.3 લાખ ફોલોવર્સ છે. બીજી બાજુ, વેંકૈયા નાયડુના તેના અંગત ટ્વિટર હેન્ડલ પર 13 લાખથી વધુ ફોલોઅર્સ છે.
આઇટી મંત્રાલય ટ્વિટરથી નારાજ: સુત્રો
મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર આઇટી મંત્રાલય ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના સત્તાવાર પર્સનલ ટ્વિટર હેન્ડલ પરથી બ્લુ ટિકને હટાવવાને લઈને નારાજ છે. આઇટી મંત્રાલય ગુસ્સે છે કે દેશના નંબર બે ઓથોરિટી સાથે માઇક્રો બ્લોગિંગ સાઇટનું આ વર્તન અનૈતિક છે. ઉપરાષ્ટ્રપતિ રાજકારણથી ઉપર છે અને દેશના બંધારણીય પદ ધરાવે છે. જો કે, ટ્વિટરે ફરીથી વેંકૈયા નાયડુના ખાતા પર બ્લુ ટિક ફરીથી આપ્યુ છે.
RSSના મોટા નેતાઓના ટ્વીટર હેન્ડલથી બ્લુ ટિક હટાવ્યુ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના મોટા નેતાઓના ટ્વિટર હેન્ડલ્સ પરથી બ્લુ ટિક પણ દૂર કરવામાં આવ્યા છે. પક્ષીએ સરકારવાહ સુરેશ જોશી, સાહ સર કાર્યાવાહ કૃષ્ણ ગોપાલ, સાહ સર કાર્યાવાહ સુરેશ સોની અને આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારના ટ્વીટર એકાઉન્ટ્સ પરથી બ્લુ ટિક્સને દૂર કર્યા છે. આ નેતાઓનું એકાઉન્ટ હવે વેરિફાઇડ નથી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
