ગણતંત્ર દિવસ પર અસમમાં 2 વિસ્ફોટ, કોઇ જાનહાની નહીં
ગુવાહાટી, 26 જાન્યુઆરી: અસમના તિનસુકિયા જિલ્લાના દિગ્બોઇ શહેરમાં સોમવારે યુનાઇટેડ લિબરેશન ફ્રંટ ઓફ અસમના વાર્તા વિરોધી ધડના શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બે વિસ્ફોટ કર્યા, જોકે તેમાં કોઇ જાનહાનિ નથી થઇ. તિનસુકિયાના પોલીસ અધીક્ષક એપી તિવારીએ જણાવ્યું કે 'એક વિસ્ફોટ દિગ્બોઇ શહેરની સીમા પર થયો, જ્યારે અન્ય એક વિસ્ફોટ શહેરમાં એક કેનાલની પાસે થયો.'

પોલીસે ઉપરી અસમના જોહરાટ શહેરમાં સોમવારે એક તાત્કાલિક વિસ્ફોટક યંત્ર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 23 ડિસેમ્બરના રોજ અસમના શોણિતપુર, કોકરાઝાર અને ચિરાંગ જિલ્લામાં એનડીએફબી કાર્યકર્તાઓના જનસંહારમાં મહિલાઓ અને બાળકો સહિત 80 લોકોના મોત થઇ ગયા હતા. ત્યાર બાદ પોલીસ, સેના અને સુરક્ષા બળોએ રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાનોને ગતિ આપી હતી, ખાસ કરીને ભારત-ભૂતાન સીમા અને અસમ-અરુણાચલ પ્રદેશની સીમા પર.












Click it and Unblock the Notifications
