બુલંદશહેરમાં બે સાધુઓનાં ગળાં કાતરી નિર્મમ હત્યા, લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો
બુલંદશહેરમાં બે સાધુઓનાં ગળાં કાતરી નિર્મમ હત્યા, લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો
બુલંદશહેરઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાથી ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. અહીં મંદિરના પરિસરમાંથી મંગળવારે સવારે બે સાધુઓના મૃતદેહ મળી આવ્યા છે. કોઈ ધારદાર હથિયારથી બંને સાધુની હત્યા કરવામાં આવી છે. ઘટનાની સૂચના મળતા જ એસએસપી સંતોષ કુમાર સહિત કેટલાય પોલીસ સ્ટેશનની પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. જ્યારે પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ઘટના બુલંદશહેરના અનૂપમશહેર પોલીસ સ્ટેશન ક્ષેત્રના પરોના ગામની છે. પરોના ગામના શિવ મંદિરમાં પાછલા 10 વર્ષથી સાધુ જગનદાસ અને સેવાદાસ રહેતા હતા. સોમવારે મોડી રાતે મંદિર પરિસરમાં જ બંને સાધુ પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સવારે જ્યારે ગ્રામીણો મંદિરમાં પહોંચ્યા તો લોહીલુહાણ હાલતમાં સાધુની લાશ તેમને મળી. જે જોઈ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. મોટી સંખ્યામાં ગ્રામીણો મંદિરે પહોંચી ગયા અને પોલીસને સૂચના આપી.
સૂચના મળતા જ એસએસપી સંતોષ કુમાર, સીઓ અનૂપશહર અતુલ ચૌબે, કોતવાલ મિથિલેશ ઉપાધ્યાય પોલીસ બળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. હાલ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. એસએસપી સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે બંને સાધુની હત્યામાં ગામના જ એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સોમવારે સવારે કોઈ વાતને લઈ આ યુવકની સાધુઓ સાથે બબાલ થઈ હતી.
એસએસપીએ જણાવ્યું કે યુવક અપરાધી છે અને નશાની હાલતમાં મળ્યો છે. હાલ તે કંઈપણ કહી શકે તેવી હાલતમાં નથી. અત્યારે સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવા અને કસ્ટડીમાં લેવાયેલ યુવક સાથે પૂછપરછ બાદ જલદી જ મામલાનો ખુલાસો કરી દેવામાં આવશે.
ક્રિકેટ ઈતિહાસનો સૌથી વિવાદિત મેચ, જ્યારે ખેલાડીઓએ અંપાયર સાથે કરી બગાવત