મદૂરાઈમાં નિર્માણાધીન ઈમારતમાં દૂર્ઘટના, 3 મજૂરોના મોત, 3 ઘાયલ
તમિલનાડુમાં મદૂરાઈની વેસ્ટ વડામપોક્કી સ્ટ્રીટ પર સોમવારે એક ઈમારતમાં દૂર્ઘટના બની ગઈ.
Tamil Nadu Madurai News: તમિલનાડુમાં મદૂરાઈની વેસ્ટ વડામપોક્કી સ્ટ્રીટ પર સોમવારે એક ઈમારતમાં દૂર્ઘટના બની ગઈ. આ એક નિર્માણાધીન ઈમારત હતી. આ દૂર્ઘટનામાં ઈમારતમાં કામ કરનારા ત્રણ મજૂરોના મોત થઈ ગયા. વળી, ત્રણ લોકો આ દૂર્ઘટનામાં ઘાયલ છે. રિપોર્ટ મુજબ મદૂરાઈની વેસ્ટ વડામપોક્કી સ્ટ્રીટ પર ઈમારતની કૉન્ક્રીટની છત બનાવવા માટે બનાવેલ માળખુ ધસી પડતા આ દૂર્ઘટના બની.
પોલિસે જણાવ્યુ કે અમુક મજૂરો સોમવારે બપોર બાદ ઈમારાતમાં છતના સળિયાનો ઢાંચો બનાવી રહ્યા હતા ત્યારે તે અચાનક તૂટીને તેમના પર પડી ગયુ. કાટમાળ નીચે છ મજૂરો ફસાઈ ગયા જેમાંથી ત્રણના મોત અત્યાર સુધીમાં થઈ ગયા છે. દૂર્ઘટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારી અને પોલિસકર્મીઓ ઘટના સ્થળે પહોચી ગયા. જ્યાં પોલિસે કાટમાળમાં દબાયેલા ત્રણ લોકોને બચાવી લીધા. જે હજુ હોસ્પિટલમાં ભરતી છે. ઘાયલોને સરકારી રાજાજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.
મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટ પર જો બાઈડેને આપી ચેતવણી