Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉદ્ધવ ઠાકરેની JDU અને કોંગ્રેસને ફટકાર, પોતાને હિન્દુ કહેવડાવવું ગૂનો છે?

મુંબઇ, 16 જુલાઇ: એનડીએના સાથી દળ શિવસેનાએ 'હિન્દુ રાષ્ટ્રવાદી' સંબંધી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનું સમર્થન કરતા જણાવ્યું કે જેડીયૂનો ગઠબંધન તોડવાનો નિર્ણય ખોટો હતો.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દક્ષિણ મુંબઇમાં જણાવ્યું કે 'મોદીએ એવું કહીને કોઇ ખોટું કામ નથી કર્યું કે તેઓ હિન્દું છે, બીજેપીમાં મોદીને પ્રમોશન મળ્યા બાદ બિનસાંપ્રદાયિકતાના મુદ્દે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએ સાથેનો છેડો ફાડ્યો એ ખોટું હતું.' તેમણે જણાવ્યું કે શું એવું કહેવું ગૂનો છે કે આપ હિન્દુ છો? દેશમાં આ કહેવું ક્યારે ગૂનો બની ગયો કે તમે હિન્દુ છો?'

અન્ન સુરક્ષા કાર્યક્રમને લઇને કોંગ્રેસ પર નિશાનો સાધતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે કોંગ્રેસ હવે આ યોજના શા માટ લાગુ કરી રહી છે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે જ્યારે વખારોમાં ખાદ્યાન્ન સડી રહ્યું હતું, સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો કે અનાજ ગરીબોમાં વહેંચી દેવામાં આવે. પરંતુ સરકારે કોર્ટના નિર્દેશ પર ધ્યાન આપ્યું નહીં.

narendra modi
ઉદ્ધવે જણાવ્યું કે કોંગ્રેસે ચર્ચા દ્વારા સંસદમાં અન્ન સુરક્ષા ખરડો પસાર કરાવવાને બદલે વટહુકમ લાવવાનો માર્ગ એટલા માટે અપનાવ્યો કારણ કે પાર્ટીને માલૂમ છે કે તે ફરી સત્તામાં નથી આવવાની. તેમણે જણાવ્યું 'કોંગ્રેસ ડૂબી રહી છે તેમને ખ્યાલ આવી ગયો છે કે તે ફરી સત્તામાં નથી આવાની. અને એ જ કારણે તેઓ અન્ન સુરક્ષા બિલ પર ભાર આપી રહી છે. '

તેમણે જાહેરાત કરી છે કે છોટા રાજનના કથિત સહયોગી રામ નારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર મામલામાં જનમટીપની સજા ફટકારેલ પોલીસ જવાનોને શિવસેના કાનૂની મદદ પૂરી પાડશે. ઉદ્ધવે જણાવ્યું કે તેઓ તેમના પરિવારજનોને પણ મદદ પૂરી પાડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X