મુંબઇ, 11 માર્ચઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ સાથે તેમની પાર્ટીનું ગઠબંધન નહીં તૂટે. પાર્ટીના મુખપત્ર ‘સામના'માં છપાયેલા પોતાના સંપાદકીયમાં ઉદ્ધવે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે, તો મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મોદીને સમર્થનની કરવામાં આવેલા વાત પર પ્રહાર કર્યા છે.
ઉદ્ધવે કહ્યું કે, શિવસેનાએ ક્યારેય મોંમા રામ, બગલમાં છૂરીનું રાજકારણ કર્યું નથી. જો કોઇએ શિવસેના વિરુદ્ધ ષડયંત્ર કરવાનો પ્રયાસ કર્યો તો પાર્ટીએ પૂરજોશમાં તેનો સામનો કર્યો. કેટલાક લોકો મુઝવણ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ અમારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. માહોલ બદલાઇ રહ્યો છે, અમેરિકા જેવા દેશોએ મોદીને વીઝા આપવાનો ઇન્કાર કરી દીદો હતો, પરંતુ હેરાન થવાની જરૂર નથી, ઓબામા દિલ્હી આવશે અને મોદીને વીઝા આપશે. ઓબામા મોદીનું સમર્થન પણ કરશે, આને કહેવાય ઉગતા સૂરજને સલામ કરવી.