'મહિલા છૂ્ં, માલ નહીં'.....CM શિંદેની શિવસેનાના મહિલા ઉમેદવારે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના સાંસદ પર ત્રાટક્યા
MAHARAShTRA Assembly ELECTION 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત માટે રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ પ્રચાર દરમિયાન નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ-આક્ષેપ કરતા હોય છે. ત્યારે આ આક્ષેપ-પ્રતિ આક્ષેપ સાથે જ વાકયુદ્ધ છેડાઈ ગયુ હોય તેવુ લાગી રહ્યું છે.
શિવસેના (UBT)ના નેતા અરવિંદ સાવંતે એકનાથ શિંદે જૂથના ઉમેદવાર શાઈના એનસી પર એવી ટિપ્પણી કરી છે કે, શાઈના ગુસ્સે થઈ ગઈ છે.
મહારાષ્ટ્રના મુંબાદેવી મતવિસ્તારમાંથી શિવસેનાના ઉમેદવાર શાઈના શિંદેએ ઉદ્ધવના શિવસેના સાંસદ અરવિંદ સાવંતને જવાબ આપતાં કહ્યું છે કે, તમે કોઈ મહિલાનું સન્માન ન કરી શકો. તમે એક સક્ષમ મહિલા માટે આવા શબ્દોનો ઉપયોગ કરો છો, જે પોતાના દમ પર રાજકારણમાં આવી છે.
શાઈને કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે તમે મહિલાઓને એક કોમોડિટી કહી છે, હું તે નેતા વિરુદ્ધ કાર્યવાહી કરું કે ન કરું, જનતા તેને જવાબ આપશે.

ઉદ્ધવ જૂથના સાંસદ સાવંતે શાઇના પર શું ટિપ્પણી કરી? - તમને જણાવી દઈએ કે શિવસેના (UBT)ના નેતા અરવિંદ સાવંતે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અને નેતા શાઈના એનસીને 'વિદેશી સામાન' કહીને કટાક્ષ કર્યો હતો કે, સાવંતે કહ્યું હતું કે આયાતી વસ્તુઓ અહીં ચૂંટણીમાં કામ કરતી નથી.
શાઈના બીજેપી છોડીને શિંદેની શિવસેનામાં સામેલ થઈ છે, તમને જણાવી દઈએ કે શાઈના એનસી હાલમાં જ બીજેપી છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ છે અને એકનાથ શિંદે તેને મુંબા દેવી સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.
શાઈનાએ ભાજપ કેમ છોડ્યું? - નોંધનીય છે કે મહાયુતિમાં સીટ વહેંચણીમાં મુંબા દેવી વિધાનસભા સીટ શિંદેની શિવસેના પાસે ગઈ હતી.
સીટોની વહેંચણી બાદ જ મુંબા દેવીથી ચૂંટણીની તૈયારી કરી રહેલી શાઈના શિંદે ભાજપ છોડીને શિવસેનામાં જોડાઈ ગઈ હતી. જેના સંદર્ભમાં વિપક્ષી શિવસેનાના સાંસદ સાવંતે વિદેશી સામાન અંગે આ ટિપ્પણી કરી હતી. જે બાદ રાજકારણ ગરમાયું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
