Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ukraine crisis : યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે મોટા સમાચાર, ભારતીય વાયુ સેનાના વિમાનો જોડાશે?

ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2 હજાર લોકોને ઘરે લાવવામાં આવ્યા છે.

Ukraine crisis : ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2 હજાર લોકોને ઘરે લાવવામાં આવ્યા છે. હવે સત્તાવાર સૂત્રોને ટાંકીને, હિન્દુસ્તાન ટાઈમ્સે દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને ઓપરેશન ગંગા હેઠળ ખાલી કરાવવાના પ્રયાસોમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.

વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાને જણાવ્યું છે કે, તમે પણ તમારા એરક્રાફ્ટ C 17 દ્વારા વધુને વધુ લોકોને ભારત લાવવામાં મદદ કરો. IAFની ક્ષમતાઓનો લાભ લેવાથી એ સુનિશ્ચિત થશે કે, શક્ય તેટલા ઓછા સમયમાં વધુ લોકોને બહાર કાઢી શકાય. જોકે, ભારતીય વાયુસેના અથવા પીએમઓ દ્વારા હજૂ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઓપરેશન ગંગામાં શામેલ થઈ શકે છે ભારતીય વાયુસેના

ઓપરેશન ગંગામાં શામેલ થઈ શકે છે ભારતીય વાયુસેના

ઓપરેશન ગંગાના ભાગરૂપે ભારતીય વાયુસેના આજથી અનેક C 17 એરક્રાફ્ટ તૈનાત કરે તેવી શક્યતા છે. જોકે, ભારતીય વાયુસેના અથવા પીએમઓ દ્વારા હજૂ સુધીતેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવાર સાંજે (28 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાનઆ નિર્ણય લેવામાં આવ્યો છે.

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર ચોવીસ કલાક કામ કરીરહી છે.

ભારતે યુક્રેનની રાજધાની કિવને વહેલી તકે છોડી દેવાની સલાહ આપી

ભારતે યુક્રેનની રાજધાની કિવને વહેલી તકે છોડી દેવાની સલાહ આપી

જે દરમિયાન યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેમને તાત્કાલિક કિવ છોડવા જણાવ્યું છે. ભારતીયરાજદૂતે ઉપલબ્ધ ટ્રેનો અથવા અન્ય કોઈપણ માધ્યમ દ્વારા કિવને વહેલામાં વહેલી તકે છોડવા જણાવ્યું છે.

યુક્રેનમાંથી લોકોને યુદ્ધના ધોરણે પરત લાવી રહ્યું છે ભારત

ભારત ઓપરેશન ગંગા હેઠળ યુદ્ધના ધોરણે સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. યુક્રેનની આસપાસની સરહદોમાંથી સ્થળાંતર પ્રક્રિયામાં સંકલન અને ઝડપી બનાવવામાટે સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને મોકલ્યા છે. હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ વીકે સિંહ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યાછે.

ચીન, અમેરિકા જેવા દેશો કરતા લોકોને ઝડપથી પરત લાવી રહ્યું છે ભારત

ચીન, અમેરિકા જેવા દેશો કરતા લોકોને ઝડપથી પરત લાવી રહ્યું છે ભારત

હાલમાં, ભારત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ખાલી કરાવવાની કામગીરીનું નેતૃત્વ કરી રહ્યું છે. ચીન, યુએસ અને યુકે જેવા અન્ય દેશોએ કાં તો તેમના સ્થળાંતર મિશનને બંધ કરીદીધું છે અથવા તેમના નાગરિકોને સુરક્ષિત કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે, પરંતુ ઓપરેશન ગંગા પૂરજોશમાં છે. આ ઉપરાંત સરકાર યુક્રેનની વિનંતી પર કિવનેમાનવતાવાદી સહાય અને દવાઓનો પુરવઠો પણ મોકલી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X