Ukraine crisis : યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે મોટા સમાચાર, ભારતીય વાયુ સેનાના વિમાનો જોડાશે?
ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2 હજાર લોકોને ઘરે લાવવામાં આવ્યા છે.
Ukraine crisis : ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2 હજાર લોકોને ઘરે લાવવામાં આવ્યા છે. હવે સત્તાવાર સૂત્રોને ટાંકીને, હિન્દુસ્તાન ટાઈમ્સે દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને ઓપરેશન ગંગા હેઠળ ખાલી કરાવવાના પ્રયાસોમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.
વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાને જણાવ્યું છે કે, તમે પણ તમારા એરક્રાફ્ટ C 17 દ્વારા વધુને વધુ લોકોને ભારત લાવવામાં મદદ કરો. IAFની ક્ષમતાઓનો લાભ લેવાથી એ સુનિશ્ચિત થશે કે, શક્ય તેટલા ઓછા સમયમાં વધુ લોકોને બહાર કાઢી શકાય. જોકે, ભારતીય વાયુસેના અથવા પીએમઓ દ્વારા હજૂ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઓપરેશન ગંગામાં શામેલ થઈ શકે છે ભારતીય વાયુસેના
ઓપરેશન ગંગાના ભાગરૂપે ભારતીય વાયુસેના આજથી અનેક C 17 એરક્રાફ્ટ તૈનાત કરે તેવી શક્યતા છે. જોકે, ભારતીય વાયુસેના અથવા પીએમઓ દ્વારા હજૂ સુધીતેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવાર સાંજે (28 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાનઆ નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર ચોવીસ કલાક કામ કરીરહી છે.

ભારતે યુક્રેનની રાજધાની કિવને વહેલી તકે છોડી દેવાની સલાહ આપી
જે દરમિયાન યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેમને તાત્કાલિક કિવ છોડવા જણાવ્યું છે. ભારતીયરાજદૂતે ઉપલબ્ધ ટ્રેનો અથવા અન્ય કોઈપણ માધ્યમ દ્વારા કિવને વહેલામાં વહેલી તકે છોડવા જણાવ્યું છે.
|
યુક્રેનમાંથી લોકોને યુદ્ધના ધોરણે પરત લાવી રહ્યું છે ભારત
ભારત ઓપરેશન ગંગા હેઠળ યુદ્ધના ધોરણે સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. યુક્રેનની આસપાસની સરહદોમાંથી સ્થળાંતર પ્રક્રિયામાં સંકલન અને ઝડપી બનાવવામાટે સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને મોકલ્યા છે. હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ વીકે સિંહ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યાછે.

ચીન, અમેરિકા જેવા દેશો કરતા લોકોને ઝડપથી પરત લાવી રહ્યું છે ભારત
હાલમાં, ભારત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ખાલી કરાવવાની કામગીરીનું નેતૃત્વ કરી રહ્યું છે. ચીન, યુએસ અને યુકે જેવા અન્ય દેશોએ કાં તો તેમના સ્થળાંતર મિશનને બંધ કરીદીધું છે અથવા તેમના નાગરિકોને સુરક્ષિત કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે, પરંતુ ઓપરેશન ગંગા પૂરજોશમાં છે. આ ઉપરાંત સરકાર યુક્રેનની વિનંતી પર કિવનેમાનવતાવાદી સહાય અને દવાઓનો પુરવઠો પણ મોકલી રહી છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
